નવી દિલ્હી: કર્ણાટકમાં ભાજપની સરકાર ના આવ્યા બાદ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીના પરિણામોને લઇને પ્રેસ કોન્ફ્રેસ કરી. એમને એ દરમિયાન ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવવાને લઇને કર્ણાટકની જનતાનો આભાર માન્યો. તો બીજી બાજુ કોંગેસ પર પ્રહાર કરતાં કહ્યું કે એ ચૂંટણીમાં મળેલી હારમાં પણ જીત શોધવાનો પ્રયત્ન કરી રહી છે.
શાહે કહ્યું કે કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે અને બહુમતથી માત્ર 7 સીટો પાછળ રહી. પરંતુ આ ચૂંટણીમાં એક ચીજ સારી થઇ કે કોંગ્રેસને કોર્ટ ચૂંટણી આયોગ અને EVMમાં ભરોસો વધ્યો છે.
રાજ્યમાં બહુમત માટે હોર્સ ટ્રેડિંગના આરોપો પર શાહે કહ્યું કે બઘા જ આરોપ ખોટા છે. મેન્ડેટ જનતા વિરુદ્ધ હતું. અમે કોંગ્રેસ-JDSના દાવા પહેલા સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. અમને લાગ્યું હતું કે જે ધારાસભ્ય કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનથી નારાજ છે એ સાથ આપી શકે છે. જો એ ધારાસભ્યને બંધક બનાવતા નથી તો ભાજપની સરકાર હોત.
Humpe horse trading ka aarop lagaya hai lekin Congress ne poora ka poora astabal (stable) bech khaya hai. We had the right so we claimed for it (to form the govt): BJP President Amit Shah pic.twitter.com/w7XXAIZ9I3
શાહે કહ્યું કે ભાજપ 40 સીટોથી 104 સુધી પહોંચી. ભાજપનો રાજ્યમાં વોટ શેર પણ વધ્યો છે. રાજ્યની સૌથી મોટી પાર્ટી બનાવવા માટે જનતાનો ધન્યવાદ. રાજ્યની જનતા દ્વારા મોટી પાર્ટી બનાવ્યા બાદ જો આપણે સરકાર બનાવવાનો દાવો રજૂ ના કરીએ તો આ જનતાના આદેશ વિરુદ્ધ હોત.
શાહે કહ્યું કે કોંગ્રેસના મોટા મંત્રી હારી ગયા તો જેડીએસ પણ એ સીટો પર જીતી છે જ્યાં ભાજપનું સંગઠન નબળું હતું. જનતાએ કોંગ્રેસને નકારી છે. જેડીએસએ ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યો અને ચૂંટણી બાદ એમની સાથે થઇ ગઇ. આજે જ્યાપે કોંગ્રેસ-જેડીએસ સરકાર બનાવી રહી છે તો રાજ્યની જનતા નહીં પરંતુ બે પાર્ટીઓ જ જશ્ન મનાવી રહી છે.
એ દરમિયાન શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે એને રાજ્યમાં ક્ષેત્રવાદ હિંદુત્વ લિંગાયત જેવા મુદ્દા ઊઠાવ્યા. દલિતોને પ્રચારમાં ભડકાવવાનું કામ કરવામાં આવ્યું. ચૂંટણીમાં રૂપિયાનો પણ ખૂબ ઉપયોગ કરવામાં આવ્યો.