અયોગ્ય ઠેરાવાયેલા કર્ણાટકના ધારાસભ્ય નારાયણ ગૌડાએ મંગળવારે દાવો કર્યો કે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ તેમને કૃષ્ણરાજપેટ મતક્ષેત્રના વિકાસ માટે 1,000 કરોડ રૂપિયા આપ્યા હતા અને તેમણે એ રૂપિયાનો ઉપયોગ વિકાસ કાર્યો માટે કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ પોતાની રિપોર્ટમાં આ વાત કહી છે.
CM બીએસ યેદિયુરપ્પાએ તેમને આપ્યા હતા 1,000 કરોડ રૂપિયા
યેદિયુરપ્પાએ કહ્યું હતું 300 કરોડ રૂપિયાથી વધારે 1000 કરોડ રૂપિયા આપશે : ગૌડા
પોતાના સમર્થકો સાથે વાત કરતા તેમણે કહ્યું, કોઇ મારી પાસે આવ્યુ અને મને સવારે 5 વાગ્યે (એચડી કુમારસ્વામી સરકાર તુટી પડ્યા પહેલા) બી એસ યેદિયુરપ્પાના આવાસ પર લઇ ગયા. જ્યારે અમે તેમના ઘરે દાખલ થયા, તો યેદિયુરપ્પા પૂજા કરી રહ્યા હતા. જ્યારે હું અંદર ગયો તો તેમણે મને બેસવા માટે કહ્યું. ત્યારબાદ એમણે કહ્યું કે હું તેમનુ સમર્થન કરું. જેથી તે એકવાર ફરી મુખ્યમંત્રી બની શકે.
ગૌડાએ સાથે જ કહ્યું, મેં તેમનાથી કૃષ્ણરાજપેટ મતક્ષેત્રના વિકાસ માટે 700 કરોડ રૂપિયા ફાળવવા માટે કહ્યું. તેમણે કહ્યું કે તે 300 કરોડ રૂપિયાથી વધારે 1000 કરોડ રૂપિયા આપશે. ત્યારબાદ તેમણે એ રૂપિયા આપ્યા હતા. આપને નથી લાગતુ મારે આવા મહાન વ્યક્તિનું સમર્થન કરવું જોઇએ. મેં એવુ જ કર્યું. ત્યારબાદ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમને અયોગ્ય ઠેરાવાયેલા ધારાસભ્યો સાથે કોઇ લેવા દેવા નથી.
નોંધનીય છે કે, જુલાઇ 2019માં કર્ણાટક વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ કેઆર રમેશ કુમારે પાર્ટી બદલૂ વિરોધી કાનૂન હેઠળ 17 ધારાસભ્યોને અયોગ્ય ઠેરાવ્યા હતા.