કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટનો અંત જોવા મળી રહ્યો નથી. છેલ્લા 15 દિવસથી એચડી કુમારસ્વામી સરકારને બહુમત સાબિત કરવાનું સંક્ટ ચાલી રહ્યું છે જે સતત ટળી રહ્યું છે. જો કે સુપ્રીમ કોર્ટમાં એકવાર ફરી આ મામલે સુનાવણી ટળી છે. સરકાર બચાવવા કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો આજે ફલોર ટેસ્ટ નહીં થાય તો આવતી કાલે સુનાવણી કરવામાં આવશે.
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં રોજ નવુ ટવિસ્ટ જોવા મળી રહ્યું છે. રાજ્યપાલ દ્વારા સદનમાં વિશ્વાસ મત માટે આપવામાં આવેલી ડેડલાઇનની સમયમર્યાદા પુરી થઇ ગઇ છે. એવામાં માનવામાં આવી રહ્યું હતું કે સોમવારે સદનમાં વિશ્વાસ મત પર મતદાન થઇ જશે પરંતુ એકવાર ફરી સદન મંગળવા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
કર્ણાટકમાં આજે થઇ શકે છે ફલોર ટેસ્ટ પર મતદાન
સાંજે 4 વાગે વિશ્વાસ મત પર શરૂ થશે ચર્ચા
સાંજે 6 વાગે થઇ શકે છે મતદાન
સ્પીકરે મતદાન માટે આજે સાંજે છ વાગ્યા સુધીની ડેડલાઇન રાખી છે. જો કે હવે જોવાનું એ રહ્યું છે કે આજે પણ મતદાન થઇ શકે છે કે નહીં. આ વચ્ચે બળવાખોર ધારાસભ્યએ સ્પીકરને મળવા માટે વધુ સમય માગ્યો છે.
કર્ણાટકના 13 બળવાખોર ધારાસભ્યોએ સ્પીકર કેઆર રમેશ કુમારે પત્ર લખીને મળવા બોલાવ્યા હતા. જો કે ત્યારબાદ ધારાસભ્યોએ સ્પીકરને પત્ર લખીને તેમની સામે રજૂ થવા માટે વધારે સમયની માગ કરી છે. ધારાસભ્યોએ જણાવ્યું કે તેમને ચાર અઠવાડિયા સુધીનો સમય આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પર ત્રણ દિવસ સુધીની ચર્ચા બાદ આ અંગે મતવિભાજન કરાવ્યા વગર મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ગઇકાલે મોડી રાત સુધી ચાલેલી કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી ને આજરોજ સવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જ્યારે વિધાનસભાના સ્પીકરે કહ્યું છે કે શક્તિ પરિક્ષણની પ્રક્રિયા આજરોજ સાંજે 6 વાગ્યા સુધીમાં પુરી કરી દેવામાં આવશે.
હાઇકોર્ટ કર્ણાટકના બે અપક્ષ ધારાસભ્યોની નવી અરજી પર આજે સુનાવણી હાથ ધરશે જેમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રસ્તાવ પર રાજ્ય વિધાનસભામાં તત્કાલ શક્તિ પરીક્ષણ કરવાની માગ કરવામાં આવી છે.