બેંગલુરૂઃ કર્ણાટક (Karnataka) માં એચડી કુમારસ્વામી (H D Kumaraswamy) નાં નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર ગંભીર સંકટમાં ઘેરાયેલી છે. 13 ધારાસભ્યોનાં રાજીનામા બાદ સોમવારનાં રોજ ડેમેજ કંટ્રોલની રણનીતિ અંતર્ગત મોટા રાજકીય ઘટનાક્રમમાં કોંગ્રેસ અને જેડીએસનાં તમામ મંત્રીઓએ રાજીનામુ આપી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીએમ એચડી કુમારસ્વામીએ ગઠબંધન સરકારને બચાવવાની કોશિશ અંતર્ગત અંતિમ દાવ ખેલ્યો છે. એવામાં કુમારસ્વામીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, તેમની સરકારને કોઇ જ ખતરો નથી.
નાટકીય ઘટનાક્રમની વચ્ચે જ્યાં કુમારસ્વામી રવિવારનાં રોજ પોતાનાં યૂએસ મુલાકાત વચ્ચે જ છોડીને આવ્યા, ત્યારે બીજી બાજુ સાંસદમાં પણ કર્ણાટકનાં સંકટ પર ધમાસાણ જોવા મળ્યું. સરકાર પડવાની સંભાવના વચ્ચે કુમારસ્વામીને માટે મંત્રીઓનાં રાજીનામા એટલા માટે મહત્વનાં છે કેમ કે હવે બદલાયેલ હાલતમાં તેમની પાસે બાગી ધારાસભ્યોને સમાયોજિત કરવાનો પૂરો મોકો છે. જો કે ધારાસભ્યોનાં રાજીનામા પર સ્પીકર કેઆર રાકેશ કુમાર મંગળવારનાં રોજ નિર્ણય કરશે, જો કે કોંગ્રેસ-જેડીએસ પાસે હાલમાં અસંતુષ્ટોને મનાવવા પર્યાપ્ત સમય છે.
Karnataka crisis: 21 Congress ministers step down voluntarily
સરકાર આરામથી ચાલશેઃ કુમારસ્વામી
મંત્રીઓના રાજીનામા બાદ હવે કુમારસ્વામી નવી રીતે કેબિનેટનું ગઠન કરી શકે છે અને આમાં તેઓ બાગીઓને શામેલ કરી શકે છે. શહ અને માતની રાજકારણ વચ્ચે સીએમ કુમારસ્વામીનું કહેવું એમ છે કે સંકટને ઉકેલી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે, 'આ સંકટનો ઉકેલ નિકાળી લેવામાં આવશે. ચિંતા કરવાની જરૂરિયાત જ નથી. આ સરકાર (કોંગ્રેસ-જેડીએસ) આરામથી ચાલશે.'
All ministers from #JDS have submitted their resignations just like the 21 ministers from #Congress.
Cabinet reshuffle will happen soon.
ગઠબંધન સરકારનાં તમામ મંત્રીઓનાં રાજીનામાઃ
કર્ણાટક મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) તરફથી રજૂ કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, '21 કોંગ્રેસ મંત્રીઓની જેમ જેડીએસનાં તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધાં છે. કેબિનેટનું ખૂબ જલ્દીથી નવી રીતે ગઠન થશે.' સૂત્રોનું કહેવું એમ છે કે કોંગ્રેસ-જેડીએસ નેતાઓની વચ્ચે મંથન બાદ નક્કી થયું કે, અસંતુષ્ટ ધારાસભ્યોને પોતાની સાથે લાવવા માટે પહેલા તમામ મંત્રીઓના રાજીનામા કરાવવામાં આવે અને પછી બાદમાં બાગીઓને મંત્રીમંડળમાં શામેલ કરી લેવામાં આવે. આ રણનીતિ અંતર્ગત સોમવારનાં રોજ કોંગ્રેસનાં તમામ મંત્રીઓએ સ્વૈચ્છિક રૂપથી ત્યાગપત્ર આપી દેવામાં આવેલ છે.