રાજ્યપાલને મળ્યા બાદ જેડીએસ ધારાસભ્ય એ એચ વિશ્વનાથે કહ્યું કે, 'આનંદ સિંહ સહિત કોંગ્રેસ અને જેડીએસના 14 ધારાસભ્યોએ પોતાનું રાજીનામુ (વિધાનસભાની સભ્યતા) સ્પીકરને સોંપી દીધું છે. અમે આ વિષયને રાજ્યપાલના સંજ્ઞાનમાં પણ લાવ્યા છે'. જોકે, વિધાનસભામાં સચિવાલય સૂત્રોએ જણાવ્યું છે કે, કુલ 13 ધારાસભ્યોએ પોતાનું રાજીનામુ આપ્યું છે.
જેમાંથી સિંહ પણ સામેલ છે. જેમાંથી સિંહે આ સપ્તાહની શરૂઆતમાં સ્પીકરને મળ્યા બાદ પોતાનું રાજીનામુ આપી દીધું.
વિશ્વનાથે આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી વાળી ગઠબંધન સરકાર પોતાનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ રહી છે. એમણે એ વાતનો ઇનકાર કર્યો છે કે આ બળવા પાછળ ભાજપનો હાથ છે. એમણે કહ્યું કે, 'સરકાર ધારાસભ્યોની સાથે તાલમેલ બેસાડવામાં નિષ્ફળ રહી... જ્યારે લોકોની આશાઓ પર પણ સાચી ઉતરી નથી'.
આ આરોપ પર ભાજપા 'ઓપરેશન લોટસ (ભાજપનું ચૂંટણી ચિન્હ)' દ્વારા રાજ્ય સરકારને અસ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. એમણે કહ્યું કે, 'આ તમારી મનની વાત છે'. એમણે કહ્યું, ''તેનો કોઇ ભાજપાઇ પહેલુ નથી. અણે તમામ વરિષ્ઠ છીએ. કોઇ ઓપરેશન ન હોઇ શકે....અણે સરકારની ઉદાસિનતા વિરુદ્ધ સ્વેચ્છાએ રાજીનામુ આપી રહ્યા છીએ.''
વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર એ સમયે પોતાના કાર્યલયમાં નહોતા, જ્યારે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા. જોકે, તેમણે રાજીનામાની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે, 'સરકાર તોડી પડશે અથવા જેમની તેમ રહેશે, તેનો ફેંસલો વિધાનસભામાં કરાશે'.
આ દરમિયાન છેલ્લા પ્રયાસ રૂપે કોંગ્રેસના 'સંકટમોચન ' અને મંત્રી ડી.કે. શિવકુમારે ધારાસભ્યો સાથે મુલાકાત કરી અને તેમને મનાવવાના પ્રયાસ કર્યા છે. જ્યારે નવી દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કર્ણાટકના ઘટનાક્રમને લઇને બેઠક કરી અને વિચાર વિમર્શ કર્યો. બેઠક બાદ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 'કર્ણાટકની કોંગ્રેસ -જેડીએસ સરકાર શરૂથી ભાજપને હજમ થઇ રહી નહોતી. તે ધારાસભ્યોની મંડી લગાવીને સરકાપ તોડી પાડવાનું ષડયંત્ર કરી રહી છે.'
વિધાનસભામાં સત્તારુઢ ગઠબંધનની સંખ્યા દળ સ્પીકર ઉપરાંત 118 - કોંગ્રેસ-78, જેડીએસ-37, બસપા-1, અને અપક્ષ-2, ધારાસભ્ય છે. તેમાથી એ ધારાસભ્ય પણ સામેલ છે જેમણે રાજીનામા આપ્યા છે.
જે ધારાસભ્યોને સ્પીકરના કાર્યાલયમાં જોવામાં આવ્યા છે. તેમા કોંગ્રેસના રમેશ જરકીહોલી (ગોકક), પ્રતાપ ગૌડા પાટિલ (માસ્કી), શિવરામ હેબ્બાર(યેલાપુર), મહેશ કુમારથલ્લી (અથાની), બીસી પાટિલ (હિરેકેરૂર), બિરાતિબાસવરાજ (કે આર પુરમ), એસ ટી સોમ શેખર (યશવંતપુર), અને રામલિંગ રેડ્ડી (બીટીએમ લેઆઉટ) સામેલ છે. જેડીએસના ધારાસભ્યોમાં એ એચ વિશ્વનાથ (હુંસુર), નારાયણ ગૌડા (કે આર પેટ), અને ગૌપાલૈયા (મહાલક્ષ્મી લેઆઉટ), સામેલ છે. વિશ્વનાથે હાલમાં જ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું હતું.
સ્પીકર કુમારે પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું કે, ''11 ધારાસભ્યોએ કાર્યાલયમાં પોતાનું રાજીનામુ આપ્યું છે. મેં અધિકારીઓેને (રાજીનામુ) પત્ર રાખવા અને પાવતી રાખવા કહ્યું. મંગળવારે હું કાર્યાલય જઇશ અને નિયમો મુજબ આગળ કાર્યવાહી કરીશું. બાદમાં, કોંગ્રેસ ધારાસભ્ય મુનિરત્ન (રાજરાજેશ્વરી નગર) પણ પોતાનું રાજીનામુ આપ્યું છે. વિધાનસભા સચિવાલય સૂત્રોએ આ જાણકારી આપી છે. તે પણ રાજભવનમાં બહાર બળવાખોર ધારાસભ્યો સાથે જોવા મળ્યા હતા.
સરકારકના ભવિષ્યની વાત કરવામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કુમારે કહ્યું કે, 'રાહ જુઓ અને પછી જુઓ, મને આ વિશે કંઇ ખબર નથી. સરકાર તૂટી પડશે અથવા સરકાર રહેશે, એ વિધાનસભામાં નક્કી કરાશે.'
આપને જણાવીએ કે, સત્તારૂઢ ગઠબંધનના નેતાઓએ આશંકા દર્શાવી છે કે ભાજપા લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકારને અસ્થિર કરવાની કોશિશ કરી રહી છે.સ હાલમાં જ થયેલી ચૂંટણીમાં રાજ્યની 28 લોકસભા બેઠકોમાં કોંગ્રેસ અને જેડીએસ બંને પાર્ટી એક-એક બેઠક પર જીત હાંસલ કરી શકી હતી. ભાજપ 25 બેઠક પર જીત નોંધાવી હતી. અને એક બેઠક પર ભગવા પાર્ટી સમર્થિત અપક્ષ ઉમેદવારની જીત થઇ હતી.