કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના આજના દિલ્હી પ્રવાસે ફરી એક વાર રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની અટકણોને તેજ કરી દીધી છે. ગત કેટલાક સમયથી આ મુદ્દાને લઈને ચર્ચા થઈ રહી છે. 78 વર્ષીય યેદિયુરપ્પા અને તેમના દીકરા વિજેન્દ્ર વિશેષ ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી. રાજ્યમાં અસંતુષ્ટ ભાજપના નેતા તેમને હટાવવા માંગે છે. આ કારણથી આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે.
યેદિયુરપ્પા અને તેમની સરકાર સારા કામ કરી રહી છે- અરુણ સિંહ
ભાજપના રાજ્ય પ્રભારી અરુણ સિંહે હાલમાં જ કર્ણાટકનો પ્રવાસ કરી સત્તાધારી દળના ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સીએમને પાર્ટી નેતૃત્વનું સમર્થન મળ્યું છે અને યેદિયુરપ્પા અને તેમની સરકાર સારા કામ કરી રહી છે. જો કે અરુણ સિંહના આ નિવેદન બાદ યેદિયુરપ્પાની કાર્યપ્રણાલીને લઈને ફરિયાદ અને કામકાજમાં તેમના દીકરાની કથિત નજરઅંદાજને લઈને અટકણો ચાલી રહી છે.
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય- આર અશોક
જોકે આ ચર્ચાને ફગાવતા રાજસ્વ મંત્રી આર અશોકે કહ્યું કે આ સામાન્ય પ્રક્રિયા છે. કંઈ જ નથી. કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય. યેદિયુરપ્પા રહેશે. તે પીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી, પાર્ટી અધ્યક્ષ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ ખાસ કરીને સિંચાઈ મંત્રીને મળવા માટે દિલ્હી જઈ રહ્યા છે. કાવેરી જળ મુદ્દો મહત્વનો છે. આથી દિલ્હી જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કાવેરી મુદ્દા પર કર્ણાટક અને તમિલનાડુની વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. મંત્રી અશોકે એમ પણ કહ્યું કે નજીકના ભવિષ્યમાં કર્ણાટકમાં કેબિનેટમાં ફેરફાર કરવાની યોજના નથી અને પીએમે પોતે આ વાતની ખરાઈ કરી છે.