કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેમની તબિયત સારી છે. પરંતુ ડૉક્ટરની સલાહ પર તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે અનેક નેતા અને દિગ્ગજો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ કોરોના થયો છે.
કર્ણાટકના મુખ્યમંત્રીને કોરોના
ગૃહમંત્રી અમિત શાહને કોરોના
તમિલનાડુના રાજ્યપાલને કોરોના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તબિયત સારી છે, પરંતુ ડૉક્ટરોની ભલામણ પર સાવચેતી તરીકે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. હાલમાં મારા સંપર્કમાં આવેલા લોકો સચેત રહે અને સેલ્ફ ક્વોરેન્ટાઇન થઇ જાય.
I have tested positive for coronavirus. Whilst I am fine, I am being hospitalised as a precaution on the recommendation of doctors. I request those who have come in contact with me recently to be observant and exercise self quarantine.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે અમિત શાહ બાદ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને લક્ષણો દેખાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ અંગે ખુદ સ્વતંત્રદેવ સિંહે ટ્વીટ કરી જાણકારી આપી હતી. ત્યારબાદ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઇને તેમને કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે રવિવારે જ ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
અમિત શાહનો પણ કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. ડૉક્ટરોની સલાહ મુજબ હાલ તેઓ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. ટ્વીટ કરીને અમિત શાહે આ મામલે માહિતી આપી હતી. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા.
આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને સતત કોવિડ-19ની પરિસ્થિતિ વિશે અપડેટ લેતા હતા. લૉકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અમિત શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં એમની સાથે મંચ પર અનેક લોકો હાજર હતા.