બુધવારે કર્ણાટકની કેનરા બેંકના એટીએમમાંથી 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટો નીકળવા લાગી હતી, જેનાથી લોકો આશ્ચર્યચકિત થયા હતા. આ સમય દરમિયાન, ઘણા લોકોએ દ્વારા એટીએમનો ઉપયોગ કરતા તેમાંથી કુલ 1.70 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે એટીએમમાં નોટ દાખલ કરનાર એજન્સીની ખામીને કારણે આવું થયું છે.
પેન્નેકરે કહ્યું કે, કોડાગુ જિલ્લાના મદિકરી શહેર સ્થિત ATMમાંથી જો કોઇ ગ્રાહક 100 રૂપિયા ઉપાડવા માટે આવે તો મશીનમાંથી 500 રૂપિયાની નોટ નીકળતી હતી. મદકરી બેંગલુરૂથી 268 કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત છે.
કેનરા બેંકના ATMમાં બની આવી ઘટના
પેન્નેકરે આ અંગે વધુમાં કહ્યું હતું કે, જો કે, આ મામલા અંગે કોઇએ કેનરા બેંકનું ધ્યાન દોરતા જ અધિકારીઓ સક્રિયા થયાં હતા અને આ અંગેની જાણ નજીકના પોલીસ મથકે કરી હતી અને પૈસા પરત મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પ્રાપ્ત થયેલ અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં મોટા ભાગના નાણા વસૂલવામાં પોલીસ અને બેંક સ્ટાફને સફળતા હાંસલ થઇ છે.
બે લોકોએ પૈસા પરત આપવા કરી આનાકાની
પોલીસ અધિક્ષકે આ મામલે વધુમાં જણાવ્યું કે, બે ગ્રાહકોએ બેંકની ભૂલ ગણાવીને પૈસા પરત કરવા આનાકાની કરી હતી. જો કે, ATM માં પૈસા ભરવાની એજન્સીને જવાબદાર ગણાવીને આ ભૂલ અંગે લોકોને જાણકારી આપી હતી. અંતે બંન્ને વ્યક્તિએ 65 હજાર રૂપિયા બેંકને પરત આપવા માટે સહમત થયાં હતા.