આજનો દિવસ કર્ણાટક માટે મહત્વનો છે. રાજ્યમાં 15 બેઠક પર યોજાયેલ પેટાચૂંટણીનું પરિણામ આવશે. આ વચ્ચે એવી અટકળો લગાવામાં આવી રહી છે કે યેદિયુરપ્પા સરકારને સત્તામાં બની રહેવા માટે જરૂરી 6 બેઠક જો ભાજપ જીતી નહી શકે તો શું કર્ણાટકમાં પણ મહારાષ્ટ્રની મહાભારતની જેમ 'નાટક' જોવા મળી શકે છે.
આજનો દિવસ કર્ણાટક માટે મહત્વનો
રાજ્યમાં 15 બેઠક પર યોજાયેલ પેટાચૂંટણીનું પરિણામ
કર્ણાટકમાં પણ મહારાષ્ટ્રની મહાભારતની જેમ 'નાટક' જોવા મળી શકે છે
નક્કી થશે યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય
ચાર મહીના જૂની બીએસ યેદિયુરપ્પા સરકારનું ભવિષ્ય આજે નક્કી થશ. 15 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવશે. આ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે અને બપોર સુધીમાં પરિણાણ આવવાની શક્યતા છે. ભાજપને સત્તામાં આરૂઢ રહેવા માટે ઓછામાં ઓછી 6 બેઠક જીતવી જરૂરી છે.
શું કામ યોજાઇ પેટા ચૂંટણી
કોંગ્રેસ અને જેડીએસ 17 બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરાયા બાદ 15 બેઠક પર પેટાચૂંટણી કરાવામાં આવી. હાઇકોર્ટમાં ચાલી રહેલા 2 બેઠકના કેસના કારણે પેટાચૂંટણી થઇ નહીં. આ 15 બેઠકોમાં 12 પર કોંગ્રેસ અને ત્રણ જેડીએસ પાસે હતી.
શું છે બહુમતિનું ગણિત
ભાજપ પાસે એક અપક્ષ સહિત 105 ધારાસભ્ય છે
કોંગ્રેસની પાસે 66 અને જેડીએસ 34 ધારાસભ્ય છે
બસપા એક, એક નામિત ધારાસભ્ય અને સ્પીકર પણ છે.
15 બેઠકો પર ચૂંટણી પછી વિધાનસભાની ક્ષમતા 222 થઇ જશે
ભાજપને બહુમતિ માટે 111 ધારાસભ્યોના સમર્થનની જરૂરિયાત