આજે રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે છે. જાણો કોણ બનશે સીએમ.
બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે
આજે યેદિયુરપ્પા સરકારને 2 વર્ષ થવા જઈ રહ્યા છે
યેદિયુરપ્પાએ ઈશારામાં આપ્યા હતા પદ છોડવાના સંકેત
બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે
કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી નેતૃત્વ પરિવર્તનની ચર્ચાની વચ્ચે આજે રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પા આજે પદ પરથી રાજીનામુ આપી શકે છે. યેદિયુરપ્પા બાદ કર્ણાટકના આગલ સીએમ કોણ બનશે તેને લઈને ભાજપના હાઈકમાને હજું સુધી કોઈ નામ જાહેર કર્યુ નથી. જો કે મુખ્ય મંત્રી યેદિયુરપ્પાએ થોડાક દિવસ પહેલા જ સંકેત આપ્યા હતા થોડાક સમય માટે જ તેઓ સીએમ રહેશે. આ બાદ પાર્ટી તેમને જે કામ સોંપસે તે તેનું પાલન કરવા તૈયાર છે.
આજે યેદિયુરપ્પા સરકારને 2 વર્ષ થવા જઈ રહ્યા છે
આજે યેદિયુરપ્પાના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે યેદિયુરપ્પા સરકારને 2 વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઉત્તરાધિકારી તરીકે કેન્દ્રીય કોયલા, ખનન તથા સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને પ્રદેશ સરકારમાં ખનન મંત્રી તથા ઉદ્યોગપતિ એમઆર નિરાનીનું નામ આગળ આવી રહ્યું છે. જોકે આ બન્ને નેતાઓએ કહ્યું છે કે હજું સુધી તેમને આ અંગે કોઈ જાણકારી નથી.
સીએમની રેસમાં આ બે નામ આગળ
પ્રહ્લાદ જોશીએ કહ્યું કે કર્ણાટકના સીએમ પદ માટે હજું સુધી ભાજપના હાઈકમાન તરફથી કોઈ પણ વાત કરવામાં નથી આવી. જોશીએ કહ્યું કે તે આવા કાલ્પનિક સવાલોના જવાબ આપવાનું યોગ્ય માનતા નથી. તેમણે કહ્યું કે તે આ વાતથી અજાણ છે કે કોઈએ યેદિયુરપ્પાને પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે કહ્યું છે. ત્યારે સીએમ પદના સવાલ પર નિરાનીએ કહ્યું કે પાર્ટી તેમને જે આદેશ આપશે તે તેનું પાલન કરશે.
યેદિયુરપ્પાએ ઈશારામાં આપ્યા હતા પદ છોડવાના સંકેત
ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાએ બે દિવસ પહેલા કહ્યું હતુ કે અમારી સરકારને 2 વર્ષ પુરા થવા પર એ કાર્યક્રમ છે. આ બાદ જેપી નડ્ડા જે નક્કી કરશે તે તેનું પાલન કરશે. તેમણે કહ્યું તમે બધા જાણો છો કે મે બે મહિના પહેલા જ નક્કી કરી દીધુ હતુ કે હું બીજા માટે રસ્તો બનાવવા માટે રાજીનામું આપી દઈશ. હું સત્તાપર રહું કે નહીં પણ ભાજપને ફરી સત્તા પર લાવવાની મારી જવાબદારી છે. હું પાર્ટી કાર્યક્તાઓને કહેવા માંગીશ કે પાર્ટીને મજબૂત બનાવવા માટે પુરો સહકાર આપે.