ભારતીય જનતા પાર્ટીના નેતા અને ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલ બીએસ યેદિયુરપપ્પાએ એક વાર ફરી CM પદના શપથ ગ્રહણ કરી લીધા છે. તેઓ શપથ ગ્રહણ કરવા માટે કર્ણાટકનાં રાજભવન ખાતે પહોંચી ગયા હતાં.
કર્ણાટક (Karnataka) માં આખરે એક વાર ફરી નવી સરકાર રચાઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલ બીએસ યેદિયુરપપ્પા (BS Yeddyurappa) એ એક વાર ફરી CM પદના શપથ ગ્રહણ કરી લીધા છે. તેઓ શપથ ગ્રહણ કરવા માટે કર્ણાટકનાં રાજભવન ખાતે પહોંચી ગયા હતાં. ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારના રોજ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા રાજભવન પહોંચ્યા હતાં. ત્યારે તેઓએ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
Karnataka: BJP State President BS Yediyurappa takes oath as Chief Minister at Raj Bhavan in Bengaluru. pic.twitter.com/5tEFE8GnHN
જો કે આમાં મહત્વની વાત તો એ છે કે યેદિયુરપ્પાએ 31 જુલાઈના રોજ વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે. કેમ કે તેઓ 23 જુલાઈના રોજ બહુમતી પુરવાર કરી શક્યા ન હતા. તમને વધુમાં જણાવી દઇએ કે વિશ્વાસ મત પ્રસ્તાવ પડવાથી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર માત્ર 14 જ મહિનામાં પડી ગઈ હતી. જેથી આખરે હવે યેદિયુરપ્પા ચોથી વખત ફરી વાર તેઓ સરકાર બનાવવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે સરકાર બનાવવાની રણનીતિ પર ચર્ચા કરવા ગુરૂવારના ગઇ કાલનાં રોજ કર્ણાટકથી ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના કાર્યકરી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા દિલ્હી પહોંચ્યા હતા. જેમાં વરિષ્ઠ નેતાઓએ ચર્ચા પૂર્ણ થયા બાદ એમ જણાવ્યું હતું કે સરકાર બનાવવાનો અંતિમ નિર્ણય તો કેન્દ્રીય નેતૃત્વ કરશે.