કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે હવે કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સ્પીકરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી વધુ સમય માંગ્યો છે. કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમનું સંવૈધાનિક કર્તવ્ય અને વિધાસનસભા નિયમ મુજબ એમણે એ ચકાસવા માટે બંધાયેલા છે કે ધારાસભ્યોના રાજીનામા સ્વેચ્છિક અથવા વિના ડરે તો આપ્યા છે કે નહીં.
જોકે સુપ્રીમ કોર્ટે એમને સમય ન આપ્યો અને તેમની અરજી પર જલ્દી સુનાવણીથી ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે અમે સવારે આદેશ આપી ચૂક્યા છીએ. સ્પીકરની તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંસવીએ કહ્યું કે, એમની અરજી શુક્રવારે મુખ્ય મામલાની સાથે સાંભળવામાં આવે. સીજેઆઇએ કહ્યું કે આપ પહેલા રજિસ્ટ્રીથી સંપર્ક કરો. તેની સાથે જ કહ્યું કે, અમે કાલે સુનાવણી કરીશું.
Supreme Court said, 'In the morning we have fixed the matter for hearing tomorrow'. https://t.co/QbJ6igQ6lq
સ્પીકરે અરજીમાં કહ્યું કે આ પ્રકારની તપાસને આજે અડધી રાત સુધીમાં પૂર્ણ કરી શકાય નહીં. સાથે જ કહ્યું કે તે બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી અયોગ્યતા કાર્યવાહીને પણ જોઇ રહ્યા છે અને તેમા સમય લાગશે. એવામાં બળવાખોર ધારાસભ્યોના રાજીનામાની સ્વૈચ્છિક પ્રકૃત્તિનો નિર્ણય કરવો ઓછા સમયમાં સંભવ નથી કેમકે આ મામલે યોગ્ય તપાસ કરવાની જરૂર છે.
આપને જણાવીએ કે કોર્ટે ગુરુવાર કોંગ્રેસ અને જેડીએસના 10 બળવાખોર ધારાસભ્યોની એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે સ્પીકરને તેમના રાજીનામા પર આજે જ નિર્ણય લેવો પડશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને કહ્યું કે તે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પીકર સામે રજૂ થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજીનામા પર સ્પીકરને આદેશ જાહેર કરશે, શુક્રવારે આદેશની કોપી સુપ્રીમ કોર્ટમાં જમા થશે.