કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે. કોંગ્રેસના 9 અને જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. બેંગલોરથી આ ધારાસભ્યો મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈની સોફીટેલ હોટલમાં તમામ બળવાખોર ધારાસભ્યો રોકાયા હતા. બાદમાં ભારે ચર્ચા વિચારણા બાદ આ તમામ બળવાખોર ધારાસભ્યો મુંબઈથી રવાના થયા હતા.
તો બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે ડી કે શિવકુમારે પણ ભારે પ્રયાસો કર્યા. બીજી તરફ કર્ણાટકના સીએમ એચ ડી કુમારસ્વામી અમેરિકા છે ત્યારે તેઓ પણ અમેરિકાથી ભારત આવવા માટે રવાના થયા છે.
જ્યારે કર્ણાટકમાં રાજકીય સંકટને લઈને કોંગ્રેસે આજે દિલ્લીમાં બેઠક બોલાવી છે. જો બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મંજૂર થાય તો સરકાર અલ્પમતમાં આવી શકે છે અને બાદમાં કર્ણાટકમાં રાજકીય સંકટ ઉભુ થઈ શકે છે.