કર્ણાટક (Karnataka) સરકારે કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે લગાવેલા લૉકડાઉનને કારણે હેરાન લોકોને રાહત આપવા માટે 1,610 કરોડ રૂપિયાના પેકેજની બુધવારે જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ખેડૂતો, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (MSME), હેન્ડલુમ વણકર, ફૂલોની ખેતી કરનારા, ધોબીઓ, નાઇઓ, ઓટો અને ટેક્સી ચલાવનાર સહિત અન્ય લોકોને ધ્યાનમાં રાખતા આ પેકેજનું એલાન કર્યું છે.
ફુલની ખેતી કરનારને પ્રતિ હેક્ટર 25,000 રૂપિયા, જ્યારે ધોબી, નાઇઓને 5,000 રૂપિયાનું વળતર અપાશે
કર્ણાટક સરકારે 11 ટકા આબકારી/ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારાની જાહેરાત કરી, જે બજેટમાં જાહેર કરાયેલ 6 ટકા વૃદ્ધી સિવાયની છે. આ રાહત પેકેજ હેઠળ ફુલની ખેતી કરનાર લોકોને પ્રતિ હેક્ટર 25,000 રૂપિયાની રાહત મળશે. ધોબી અને નાઇઓને 5,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઓટો અને ટેક્સીને એક 5,000 રૂપિયા આપવામાં આવશે. નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને 3,000 રૂપિયા મળશે. તેઓને પહેલા 2,000 રૂપિયાની ચૂકવણી કરાઇ ચૂકી છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પા દ્વારા લૉકડાઉન વચ્ચે રાજ્યમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને પોતાના ગૃહનગર પરત ન ફરવાની અપીલના થોડાક કલાક બાદ રાજ્ય સરકારે પ્રવાસીઓને તેમના રાજ્યમાં મોકલવા માટે આયોજીત ટ્રેનોને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે સરકાર મંગળવારે (5 મે 2020)એ દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR)એ પત્ર લખ્યો, જેમા બુધવારે નિર્ધારિત ટ્રેન સેવાઓ પાછી લેવા અપીલ કરવામાં આવી.
કર્ણાટકમાં પ્રવાસી મજૂરો માટે નોડલ અધિકારી એન મંજુનાથ પ્રસાદ દ્વારા મોકલવામાં આવેલા પત્ર મુજબ 6 મે એ બેંગલુરુથી ધનપુર (બિહાર) માટે સવારે 9,12 અને બપોરે 3 વાગ્યે શરૂ થનારી ટ્રેન સેવાઓને રદ્દ કરવા અપીલ કરાઇ છે. બંગલુરુમાં હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો ફસાયેલા છે.