ભારતમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે અને કર્ણાટક તથા ગુજરાતમાં સૌથી ઓછી બેરોજગારી જોવા મળી છે.
બેરોજગારીના મોરચે રાહત
ભારતમાં બેરોજગારીનો દર ઘટ્યો
માર્ચમાં બેરોજગારી દર ઘટીને 7.6 ટકા થયો
બેરોજગારીને હવે રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં બેરોજગારીનો દર ઘટી રહ્યો છે અને અર્થતંત્ર ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું છે. આ માહિતી સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ) ના ડેટામાંથી મેળવવામાં આવી છે.
માર્ચમાં બેરોજગારી દર ઘટીને 7.6 ટકા થયો
સીએમઆઇઇના માસિક આંકડા અનુસાર ફેબ્રુઆરીમાં દેશમાં બેરોજગારીનો દર 8.10 ટકા હતો, જે માર્ચમાં ઘટીને 7.6 ટકા થઇ ગયો હતો. 2 એપ્રિલે આ રેશિયો વધુ ઘટીને 7.5 ટકા થયો હતો. શહેરી બેરોજગારીનો દર 8.5 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં તે 7.1 ટકા હતો.
માર્ચમાં હરિયાણાનો બેરોજગારી દર સૌથી વધુ 26.7 ટકા હતો
આંકડા મુજબ માર્ચમાં હરિયાણામાં બેરોજગારીનો દર સૌથી વધુ 26.7 ટકા હતો. ત્યાર બાદ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં 25-25 ટકા રહ્યો હતો. બિહારમાં બેરોજગારીનો દર 14.4 ટકા, ત્રિપુરામાં 14.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 5.6 ટકા રહ્યો હતો.
કર્ણાટક અને ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો
માર્ચ 2022માં કર્ણાટક અને ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો 1.8- 1.8 ટકા રહ્યો હતો. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર અભિરૂપ સરકારે જણાવ્યું હતું કે બેરોજગારીનો દર ઘટી રહ્યો છે, પરંતુ ભારત જેવા "ગરીબ" દેશના સંદર્ભમાં તે હજી પણ ખૂબ ઊંચો છે. તેમણે કહ્યું કે બેરોજગારીના ગુણોત્તરમાં ઘટાડો દર્શાવે છે કે કોવિડ -19 રોગચાળા પછી અર્થવ્યવસ્થા પાટા પર આવી રહી છે.પરંતુ ભારત જેવા ગરીબ દેશ માટે બેરોજગારીનો દર હજુ પણ ઘણો ઊંચો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને બેરોજગારી પરવડે તેમ નથી.