રાજકારણ / આ ભાજપશાસિત રાજ્યમાં નવા-જૂનીના એંધાણ : મુખ્યમંત્રી વિરુદ્ધ દિલ્હી કૂચની તૈયારીમાં 15 MLA?

karnataka 15 mlas against yeddyurappa may reach delhi demand for a place in the cabinet

કર્ણાટકમાં ભાજપની સરકાર પોતાના ધારાસભ્યોના બળવાખોર વલણથી પરેશાન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્ય ભાજપના લગભગ 15 ધારાસભ્યોએ યેદિયુરપ્પાની વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. તેમની યોજના છે કે તે દિલ્હીમાં હાઈકમાન સાથે મુલાકાત કરશે. હાલમાં જ કર્ણાટકમાં કેબિનેટનો વિસ્તાર કરી 7 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પાની વિરુદ્ધ એકજૂથ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે તેમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા છે જે પહેલા મંત્રી હતા. તેમને દાવો છે કે સરકારમાં મંત્રી બનાવવાના માપદંડો ખોટા છે.

બ્રેકિંગ ન્યૂઝ