એક અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના પોલિસ દ્વારા કરવામાં આવેલા દમનમાં મોત થયા બાદ અમેરિકામાં રોષ ભભૂક્યો હતો. એ જ રીતે ભારતના તમિળનાડુમાં પણ જયરાજ અને તેના દિકરા ફિનિક્સનું મોત નિપજ્યું છે.
જયરાજ અને ફિનિક્સના મોત બાદ આ મામલાએ જોર પકડ્યું છે અને લોકો આ મુદ્દે રોષ પ્રગટ કરી રહ્યાં છે. પોલિસની વધી રહેલી નિર્દયતા પર બોલિવૂડના લોકો પણ ખુલીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. પ્રિયંકા ચોપરા, તાપસી પન્નુ, જ્હાનવી કપૂર, ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા આ ઘટના સામે પોતાનો ગુસ્સો પ્રગટ કરી ચૂકી છે અને હવે કરીના કપૂરે પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેમાં તેણે આ પ્રકારની ઘટના અસ્વિકાર્ય હોવાનું કહીને ન્યાયની માગણી કરી છે.
કરીનાએ કરી પોસ્ટ
કરીનાએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે આ પ્રકારની નિર્દયતાને સ્વિકારવામાં આવશે નહી, ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ આ પ્રકારનુ વર્તન યોગ્ય નથી. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ કરતા રહેવું જોઇએ.
This is tragic & absolute National Shame. It sends shivers down my spine even reading about it. We all must stand together against this barbaric brutality. #JusticeForJeyarajAndFenixhttps://t.co/Srn5GFaG7p
This might just be one case out of many but it takes only one case to begin the snowball effect. #JusticeforJayarajAndFenix
It could’ve been anyone we know. Details are scary and gut wrenching.
શું હતી સમગ્ર ઘટના
તમિળનાડુના સતનકુલમ ખાતે લૉકડાઉનનો ભંગ કરવા બદલ જયરાજ અને તેના પુત્ર ફિનિક્સની પોલીસે ધરપકડ કરી હતી અને બંનેને ખૂબ માર માર્યો હતો. જે ઘટનામાં બંનેના મોત થયા હતા. પોલીસનું કહેવું હતું કે તેમણે લૉકડાઉન છતાં પોતાની મોબાઇલની દુકાન ચાલું રાખી હતી. ફિનિક્સનું મોત કોવીલપટ્ટીની હોસ્પિટલમાં 22મી જૂને થયું અને તેના બીજા દિવસે તેના પિતાનું નિધન થયું હતું.