કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અવસર દ્રાસ મેમોરિયલમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપશે, જો કે તે અગાઉ રાષ્ટ્રપતિએ ટવિટ કરી શહીદોને યાદ કર્યાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટવિટરના માધ્યમથી કહ્યું કે કારગિલ વિજય દિવસ આપણા રાષ્ટ્ર માટે 1999માં કારગિલની પહાડીની ચોટ પર આપણા સૈનિકોની વીરતાનું સ્મરણ કરવાનો દિવસ છે. આ અવસર પર આપણે ભારતની રક્ષા કરનારા યોધ્ધાઓની ધૈર્ય અને શૌર્યને નમન કરીએ છીએ.
આમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કારગિલ વિજય દિવસ પર ટવિટ કરી શહીદોને સલામી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટવિટ કરી જણાવ્યું છે કે કારગિલની ચોટીઓ પર સશસ્ત્ર દળની વિરતાના સ્મરણ કરવાનો દિવસ છે. આપણે સૌ શહીદો પ્રત્યે આજીવન આભારી રહીશું.
On Kargil Vijay Diwas, a grateful nation acknowledges the gallantry of our Armed Forces on the heights of Kargil in 1999.
We salute the grit and valour of those who defended India, and record our everlasting debt to those who never returned.
— President of India (@rashtrapatibhvn) July 26, 2019
કારગિલ વિજય દિવસ ભારત માટે આજે ગર્વનો દિવસ છે. કારગિલ વિજય દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસમાં વીર શહીદોને શ્રધ્ધાંજલી આપશે. કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે જમ્મૂ-કાશ્મીરના દ્રાસમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે જ શહીદોને નામે દિવા પ્રગટાવવામાં આવ્યાં છે.
During the Kargil War in 1999, I had the opportunity to go to Kargil and show solidarity with our brave soldiers.
This was the time when I was working for my Party in J&K as well as Himachal Pradesh.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું જવાનોને દિલથી નમન
કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મા ભારતીના બધા વીર સપૂતોને હૃદયથી વંદન કરું છું. આજનો દિવસ આપણને આપણાં સૈનિકોના સાહસ, શૌર્ય અને સમર્પણની યાદ અપાવે છે. આ અવસર પર વીર શહીદ જવાનોને વિનમ્ર શ્રધ્ધાંજલી, જેમણે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું.
જેમાં મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યાં છે. વાયુ સેનાના ચીફ બી.એસ. ધનોઆએ દિવા પ્રગટાવીને જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. કારગિલમાં વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થયું હતું. પાકિસ્તાનની સેનાએ નિયંત્રણ રેખાને પાર કરી ભારતીય ક્ષેત્રમાં ધૂસણખોરી કરી હતી.
જો કે ભારતે ઓપરેશન વિજય ચલાવીને તેમને પાછા ખદેડયા હતા. વાયુ સેનાના ચીફે કહ્યું કે આજે આપણી પાસે યુએવી અને કોમ્યુનિકેશનના ઘણા સારા ઉપકરણ છે, હવે પાકિસ્તાન કારગિલ જેવી ધૂસણખોરી કરવાની હિંમત નહીં કરે.