આજે દેશભરમાં કારગિલ વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે અને શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. જેમાં પીએમ મોદીએ કારગિલ યુદ્ધ સમયની કેટલીક તસ્વીરો પણ ટ્વિટ કરી છે. PM મોદીએ કહ્યું કે 1999માં કારગિલ યુદ્ધ સમયે મને ત્યાં જવાની તક મળી હતી.
સૈનિકો સાથે એકતા દેખાડવાની તક મળી હતી. આ સમયે હું જમ્મૂ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પાર્ટી માટે કામ કરતો હતો. પીએમ મોદીએ કહ્યું કે કારગિલની એ યાત્રા અને સૈનિકો સાથેની વાત અવિસ્મણીય છે.
જે દેશમાં કારગિલ વિજય દિવસના 20 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી રહી છે. 26 જુલાઇ 1999ના દિવસે ભારતે કારગિલ યુધ્ધમાં પાકિસ્તાનને હરાવી વિજય પતાકા લહેરાવ્યાં હતા. દેશના વીર જવાનોએ યુધ્ધમાં પોતાની વીરતા અને સાહસના શૌર્યનો પરિચય આપ્યો હતો. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને યાદ કરતાં ટવિટ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી કહ્યું કે 1999માં કારગિલ યુધ્ધ દરમિયાન મને કારિગલ જવા તેમજ બહાદુર સૈનિકો સાથે એકજૂટતા દેખાડવાનો અવસર મળ્યો હતો. આ એ સમય હતો જ્યારે હુ પાર્ટી માટે જમ્મૂ-કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશમાં કામ કરતો હતો. કારગીલની યાત્રા તેમજ સૈનિકો સાથેની વાતચીત અવિસ્મરણીય છે.
During the Kargil War in 1999, I had the opportunity to go to Kargil and show solidarity with our brave soldiers.
This was the time when I was working for my Party in J&K as well as Himachal Pradesh.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટરના માધ્યમથી પોતાની તસવીર ટવિટ કરી છે. જેમાં પીએમ મોદી સૈનિકો સાથે વાતચીત તેમજ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોના ખબરઅંતર પૂછતાં જોવા મળે છે. કારગિલ યુધ્ધ દરમિયાન ભારતે 527થી વધારે જવાનોને ગુમાવ્યાં હતા. લગભગ બે મહિના જેટલું યુધ્ધ ચાલ્યું હતું. અંદાજે 18 હજાર ફૂટની ઉંચાઇ પર કારગિલનું યુધ્ધ લડવામાં આવ્યું હતુ.
આમ તો પાકિસ્તાને આ યુધ્ધની શરૂઆત 3 મે 1999થી કરી દીધી હતી જ્યારે કારગિલની ઉંચાઇની પહાડીઓ પર 5000 જેટલા સૈનિકોએ ધૂસણખોરી કરી કબ્જો કરી લીધો હતો. આ અંગેની જાણકારી જ્યારે ભારત સરકારને મળી તો ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈનિકોને હટાવવા ઓપરેશન વિજય ચલાવ્યું હતું.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુધ્ધ મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ જ્યાં પાકિસ્તાને કબ્જો કર્યો હતો ત્યાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ સિવાય મિગ-29ની મદદથી પાકિસ્તાનના કેટલાંક ઠેકાણાં પર આર-77 મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.