સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને કડક ચેતાવણી આપી છે. કારગિલ વિજય દિવસના એક દિવસ પહેલાં સેના પ્રમુખે કહ્યું છે કે પાકિસ્તાન ભારત વિરુધ્ધ કોઇ પગલું ના લે. ભારતીય સેના પ્રમુખે કહ્યું કે પાકિસ્તાન 1999 જેવી કોઇ ભૂલ બીજી વખત કરવાનો પ્રયત્ન ન કરે.
સેના પ્રમુખે જણાવ્યું કે મને ખાતરી છે કે પાકિસ્તાન ફરી આવું નહીં કરે. અમે પાકિસ્તાનને ક્યારેય સફળ થવા નહીં દઇએ. તે કોઇ પણ ઉંચાઇ સુધી જાય, અમે હંમેશા તેમની પાસે પરત આવીશું. તેઓ ફરી આવું કરવાની હિંમત નહીં કરે.
પાકિસ્તાનના વડાપ્રધાનના નિવેદન પર સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે અમે પાકિસ્તાનની હક્કીત જાણીએ છીએ. એટલે અમારે કોઇપણ નિવેદનથી પાછળ હટવું નથી. અમારી ગુપ્ત એજન્સીઓએ પુલવામામાં થયેલા હુમલાને લઇને પુરાવા આપ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વોશિંગ્ટન સ્થિત યૂએસ ઇન્સ્ટીટયૂટ ઓફ પીસમાં સ્વીકાર કર્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાંક આતંકવાદીઓએ કાશ્મીરમાં લડાઇ લડી હતી. પુલવામા હુમલાને લઇને ઇમરાન ખાને કહ્યું કે જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી જે ભારતમાં પણ સક્રિય છે.