26 જુલાઈ 1999 યાદ છે ને? હા કારગિલ વિજય દિવસ. આજે એ વાતને 21 વર્ષ વિત્યા પણ જાણે હમણાંની જ વાત હોય એવું લાગે છે ત્યારે ગુજરાતમાંથી પણ 12 નરબંકાઓ આ યુદ્ધમાં શહીદી વહોરી હતી. આજના વિજય દિવસે તેમને દિલથી સલામ છે.
કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે 26 જુલાઈ
ગુજરાતના 12 જવાનો થયા હતા શહીદ
ભારતના 527 જવાનો શહીદ થયા હતા
મા ભારતી કાજે યા હોમ કરીને કુદી પડનારા એ દરેક વીર જવાનને સલામ છે. દરેક ભારતીય એમનો ઋણી છે. 1999 માં કારગિલ, બટાલીક અને દ્વાસ ના ઉચા પહાડો પર 74 દિવસ ચાલેલુ યુદ્ધ જૂલાઈ 26, 1999 ના રોજ સમાપ્ત થયું હતું. આ યુદ્ધમાં 527 જવાનો શહીદ થયા હતા. 1363 જવાનો ઘાયલ થયા હતા. શહીદોને 4 પરમવીર ચક્ર, 9 મહાવીર ચક્ર અને 16 વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા. ગુજરાત ના પણ 12 જવાનો શહીદ થયા હતાં.
આ ઓપરેશન વિજય ની જીત ની યાદગીરી માટે કારગિલ ખાતે "કારગિલ વોર મેમોરિયલ" બનાવવામાં આવ્યું છે જ્યાં આ આપરેશન વિજય ને લગતી તમામ માહિતી, રણબંકાઓ ની શૌર્યગાથાઓ અને શહીદ થયેલા તમામ વીર વર શહીદો ની માહિતી પાળીયા ના સ્વરૂપે દર્શાવવામાં આવી છે.
કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે અને જુલાઇ, 1999માં કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયું હતું. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે બનાવાયુ હતું. આ યુદ્ધનું કારણ પાકિસ્તાની સૈનિકોની ઘૂસણખોરી હતુ.
12 શહીદ જવાનના નામ
શહીદ જવાન અશોક જાડેજા જામનગર જિલ્લાના મેમાણા ગામના વતની હતા.
શહીદ જવાન છગન બારિયા દાહોદ જિલ્લાના નાકડી ગામના વતની હતી.
શહીદ જવાન દિલિપસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના ટીકર ગામના વતની હતા.
શહીદ જવાન ભલાભાઈ બારીઆ પંચમહાલ જિલ્લાના ખટકપુરના વતની હતા
શહીદ જવાન હેન્દ્રગિરિસ સ્વામી જૂનાગઢ જિલ્લના કોઈલાણાના વતની હતી.
શહીદ જવાન મુકેશ રાઠોડ જૂનાગઢ જિલ્લાના સાપુર જિલ્લાના વતની હતા.
શહીદ જવાન રમેશ જોગલ જામનગર જિલ્લાના મેવાસાના વતની હતા.
શહીદ જવાન શૈલેષ નીનામાં સાબરકાઠા જિલ્લાના કંથારિયા ગામના વતની હતા.
શહીદ જવાન રૂમાલ રજાત મહિસાગર જિલ્લાના ઘેટીઆંબા ગામના વતની હતા.
શહીદ જવાન મહિપત જાડેજા જામનગર જિલ્લાના નગડિયા ગામના વતની હતા.
શહીદ જવાન દિનેશ વાઘેલા ખેડા જિલ્લાના નિરમાલી ગામના વતની હતી.
શહીદ જવાન કાંતી કોટવાલા સાબરકાંઠાના કિશનગઢના વતની હતા.