દુશ્મનની સ્થિતિ પર રોકેટ તેમજ બોમ્બ મારો કરવાને લઇને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાને તબાહ કરનાર લડાખૂ વિમાન મિગ-27 આજ દેશની વાયુસેનાને અલવિદા કહેશે. અંદાજે 34 વર્ષ વાયુસેનાનો એક ભાગર રહ્યા બાદ આજે અંતિમ ઉડાન ભરશે. આ અવસર પર જોધપુર એરબેઝ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેને પુરા સમ્માન સાથે વિદાય આપવામાં આવશે.
આ અંગે રક્ષા મંત્રાલય દ્વારા વિદાય સમારોહમાં સ્વાડ્રન સંખ્યા 29ના અંતિમ 7 મિગ-27 પોતાની અંતિમ ઉડાન ભરશે. આ સાથે 31 માર્ચ 2020થી તેમની સત્તાવાર 'નંબર પ્લેટિંગ' (સૈન્ય સેવાથી બહાર થવાની પ્રક્રિયા) થશે. મિગ23, મિગ23એમએફ અને ખાલિસ મિગ-27 પહેલાથી સેવાનિવૃત્ત કરી દેવામાં આવ્યાં છે.
આમ સૌથી છેલ્લે વિદાય લઇ રહ્યાં છે હાલના આ મિગ-27 અપગ્રેડ શ્રેણીના છે. તેમનો જથ્થો 2006માં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યો હતો. મિગ-27નો ઉપયોગ 2001-02માં ઓપરેશન પરાક્રમમાં થયો હતો જે 1971 બાદ ભારતીય સેનાની સૌથી મોટું મોબિલાઇઝેશન માનવામાં આવે છે. વાયુસેનાએ ટવિટ કરી જણાવ્યું છે કે મિગ-27ને વાયુસેનામાં 1985માં સામેલ કરવામાં આવ્યું હતું.
भारतीय वायु सेना के बेड़े में 1985 में शामिल किया गया यह अत्यंत सक्षम लड़ाकू विमान ज़मीनी हमले की क्षमता का आधार रहा है। वायु सेना के सभी प्रमुख ऑपरेशन्स में भाग लेने के साथ मिग-27 नें 1999 के कारगिल युद्ध में भी एक अभूतपूर्व भूमिका निभाई थी। pic.twitter.com/9EtQv71sOh
કારગિલ યૂદ્ધમાં યોગદાન માટે તેને બહાદુર નામ આપવામાં આવ્યું હતું. જોધપુર એરબેઝમાં વિદાય કાર્યક્રમમાં એર માર્શલ એસકે ઘોટિયા વિશિષ્ટ સેવા મેડલ, એરફોર્સ ઓફિસર કમાંન્ડિગ ઇન ચીફ દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડ સહિત ઘણા હાલના તેમજ પૂર્વ વાયુસેનાના અધિકારીઓ સામેલ થશે.