બોલિવૂડમાં લવ સ્ટોરીઝની જ્યારે પણ વાત થાય છે ત્યારે કરીના કપૂર અને શાહિદ કપૂરની લવ સ્ટોરીની વાત અચૂક નીકળે છે. બોલિવૂડમાં કરીના અને શાહિદની રિલેશનશિપ લાંબા સમય સુધી ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં આ બંને સ્ટાર્સના લગ્નની વાતો પણ મીડિયામાં થવા લાગી હતી, પણ આ બંનેએ જ્યારે લગ્ન કર્યા તો બંનેના જીવનસાથી બદલાઈ ગયા અને બંનેના રસ્તાઓ પણ અલગ થઈ ગયા.
અત્યારે કરીના કપૂર તેની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની તૈયારીમાં લાગેલી છે. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે શાહિદને ડેટ કરવાથી લઈ તેની સાથે બ્રેકઅપ અને સૈફ અંગે વાતચીત કહી હતી. જોકે, અત્યાર સુધી કરીના હોય કે શાહિદ બંને તેમના અફેરને લઈને કંઈપણ કહેવાનું ટાળતા હતા, પરંતુ હવે કરીનાએ તેમના રિલેશન વિશે કેટલીક વાતો જણાવી.
Kareena speaks unfiltered - shares experience of shooting Jab We Met and the change in her personal equation with Shahid Kapoor at the time. pic.twitter.com/9d86busbPI
શાહિદ સાથેના બ્રેકઅપને લઈને 13 વર્ષ પછી કરીનાએ મૌન તોડ્યું. કરીનાએ જણાવ્યું કે, કઈ રીતે તેનું શાહિદ સાથે બ્રેકઅપ થઈ ગયું. તેણે કહ્યું કે એ સમયે ફિલ્મ ટશનને લઈને હું ઘણી જ એક્સાઈટેડ હતી. મારે આ ફિલ્મ માટે સાઈઝ ઝીરો કરવાની હતી અને મને લાગતું હતું કે આ ફિલ્મ મારા કરિયરની ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. જેના માટે મારે ઘણાં બધાં કામ કરવાના હતા.
આગળ કરીનાએ કહ્યું, કિસ્મતને એ સમયે કંઈક અલગ જ પ્લાન બનાવ્યો હતો. કેટલીક એવી ઘટનાઓ જીવનમાં ઘટી કે અમારા રસ્તાઓ અલગ થઈ ગયા. એ પછી અમે બંને પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયા. જબ વી મેટ વિશે વાત કરતાં તેણે કહ્યું, એ સમયે હું શાહિદને ડેટ કરી રહી હતી અને શાહિદે જ તેને ફિલ્મ ટશનમાં કામ કરવા માટે પ્રેરિત કરી હતી.
કરીનાએ કહ્યું કે, ફિલ્મ જબ વી મેટ અને ટશન દરમિયાન તેના જીવનમાં ઘણું બધું થયું. જેને તે સંભાળી શકી નહીં અને આ દરમિયાન તેની અને સૈફ અલી ખાનની લવ સ્ટોરી શરૂ થઈ ગઈ. જે બાદ બધી વસ્તુઓ સારી રીતે થવા લાગી.
ફિલ્મ ટશન વિશે વાત કરતાં કરીનાએ કહ્યું કે, આ ફિલ્મે મારી જિન્દગી બદલી નાખી, કારણ કે આ ફિલ્મને કારણે જ હું મારા સપનાના રાજકુમારને મળી શકી અને પછી અમે બંનેએ લગ્ન કરી લીધા.