ફિલ્મમેકર કરણ જોહરે પોતાની આત્મકથામાં કરીના કપૂર સાથે થયેલા ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો છે. પૈસાને લઈને આ બંને વચ્ચે બોલચાલ બંધ થઈ ગઈ હતી.
કરીના અને કરણ જોહર વચ્ચે થયો હતો ઝઘડો
કરીનાએ ફીસને લઈને કહી હતી આ વાત
9 મહિના સુધી કરીના અને કરણની વાતચીત બંધ થઈ ગઈ હતી
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને દિગ્દર્શક કરણ જોહર આજે સારાં મિત્રો છે, પરંતુ બંને થોડા વર્ષો પહેલાં એકબીજા સાથે વાત પણ નહોતા કરતા, કરણ જોહરે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે 9 મહિના સુધી કરીના કપૂર સાથે વાત કરી નહોતી.
કરણ જોહરે પોતાની આત્મકથા The Unsuitable Boyમાં આ ઘટના વિશે વાત કરતાં લખ્યું છે કે, 'મારી કરીના સાથે પહેલી પરેશાની એ હતી કે તેણે ફિલ્મ માટે બહુ વધારે ફીસ માંગી હતી અને એ સમય મુશ્કેલ હતો. મુઝસે દોસ્તી કરોગે ફિલ્મ બસ રિલીઝ જ થઈ હતી. આદિત્ય ચોપડાના આસિસ્ટન્ટે આ એક સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બનાવી હતી.
કરણે જણાવ્યું કે કરીના કપૂરે એ સમયે શાહરૂખ ખાન જેટલા પૈસા માંગી લીધા હતા. કરણે લખ્યું છે કે, મુઝસે શાદી કરોગેના વીકેન્ડ પર જ અમે કરીનાને ફિલ્મ કલ હો ના હો ઓફર કરી હતી અને તેણે શાહરૂખ જેટલા પૈસા માંગી લીધા તો મૈં તેને સોરી કહી દીધું. મને દુઃખ થયું. મૈં કરીનાને ફોન કર્યો તો તેણે મારો ફોન પણ રિસીવ ન કર્યો, પછી મૈં નક્કી કરી લીધું કે હું તેને મારી ફિલ્મમાં નહીં લઉં. પછી અમે એક વર્ષ સુધી એકબીજા સાથે વાત ન કરી અને પછી તેણે કરીનાની જગ્યાએ પ્રીતિ ઝિંટાને સાઈન કરી લીધી હતી.
કરણે આગળ લખ્યું કે- અમે કલ હો ના હોની શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા. મારા પિતા યશ જોહર ન્યૂયોર્કમાં પોતાનો ઈલાજ કરાવવા લાગ્યા. ત્યારે કરીનાએ તેને ફોન કર્યો. કરણે જણાવ્યું કે એ ઓગસ્ટનો મહિનો હતો. અમે નવ મહિના સુધી વાત નહોતી કરી. કરીનાએ ફોન કર્યો અને કહ્યું, મૈં યશ અંકલ વિશે સાંભળ્યું. તે ફોન પર ભાવુક થઈ ગઈ હતી. પછી તેણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું, મને માફ કરી દે કે આટલો સમય સુધી આપણે સંપર્કમાં ન રહ્યાં.