બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને સતત ચર્ચામાં છે. કરીના કપૂર કામની સાથે-સાથે પરિવારને પણ પૂરતો સમય આપે છે અને આ જ કારણથી જ્યારે પણ તેને કામમાંથી સમય મળે ત્યારે તે તેના પરિવાર સાથે સમય વિતાવે છે, પરંતુ હાલ કરીના તેના પરિવારને લઈને થોડી પરેશાન છે. હકીરતમાં બેબો સાવકી માના ટેગથી પરેશાન થઈ ચૂકી છે.
એક ઈન્ટરવ્યૂમાં કરીનાએ સાવકી માના ટેગ પર ખુલીને વાત કરતા કહ્યું, ઘણીવાર મને એવો સવાલ પૂછવામાં આવે છે કે, સાવકી મા હોવાથી સારા સાથે મારા કેવા સંબંધ છે. લોકો હજી પણ મને સાવકી મા કહે છે અને મને આ વાતની જાણકારી નથી હોતી એવું બિલ્કુલ નથી. હું મારા જીવનને અલગ રીતે જોઉં છું અને મને લાગે છે કે, આવું કોઈએ ન કરવું જોઈએ.
તમને જણાવી દઈએ કે લોકો આજે પણ કરીનાને સારા અલી ખાનની સાવકી માનો ટોણો મારીને સવાલો પૂછે છે. જોકે, સારા અને કરીના વચ્ચે ઘણી સારી બોન્ડિંગ છે અને બંને સાથે ઘણી જગ્યાએ જોવા પણ મળે છે.
તમને જણાવી દઈએ કે કરીના સાવકી માની સાથે બોલિવૂડ ડીવાના ટેગથી પણ ઘણી જ પરેશાન છે. જેના પર પણ તે કહી ચૂકી છે કે, મેં હમેશાં એક ડીવા હોવાની ઈમેજથી લડાઈ લડી છે. મને નથી ખબર કે આ ક્યાંથી શરૂ થયું. પણ લોકો હમેશાં મને આ જ ઈમેજથી વિચારે છે અને જુએ છે. શરૂઆતમાં મને બહુ જ ગુસ્સો આવતો હતો પરંતુ હવે મને આ બધાંથી કોઈ જ ફેર પડતો નથી.