બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરની ડાયટિશિયન રૂજુતા દિવેકર અવારનવાર સોશિયલ મીડિયા પર અનેક ઘરેલૂ ઉપચાર શેર કરતી રહે છે. લોકોના રૂજુતાના ઉપચાર ખૂબ જ પસંદ આવે છે. ત્યારે હાલમાં જ રૂજુતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે શરદી, ખાંસી અને ફ્લૂ માટે જોરદાર ઉપાયો જણાવ્યા છે. રૂજુતાએ જણાવ્યું કે, સીઝનલ વસ્તુઓ, મસાલા અને ઘી આપણાં પારંપારિક આહાર છે અને એ આપણને અનેક બીમારીઓથી બચાવે છે.
કરીના કપૂરની ડાયટિશિયને શેર કર્યા ઘરેલૂ ઉપચાર
શરદી-ખાંસી અને ફ્લૂ માટે રૂજુતા દિવેકરે જણાવ્યા અક્સિર ઈલાજ
ઘરે જ આ દેશી દવાઓથી દૂર કરી શકાશે સમસ્યા
Gharelu nuskhe for cough, cold & flu.
The time-tested wisdom from our kitchens and grandmoms shouldn’t need a pandemic to come back into limelight.
So dig in, chew it slowly and pass it on to the next gen. And do it exactly like your grandma did - with love.
ઘી, સૂંઠ, હળદર અને ગોળ સરખાં પ્રમાણમાં લઈને મિક્સ કરીને અડધી ચમચીની માત્રામાં રોજ સવારે અને રાતે ખાઓ.
નાસ્તામાં રાગી પોરીજ અથવા ડોસા ખાઓ.
મિડ મોર્નિંગમાં કાજૂ અને ગોળ ખાઓ.
લંચમાં મગની દાળ અને રોજ ભાત અને ઘી ખાઓ.
સાંજે સ્નેક્સમાં ગોળ, પૌવા અને દૂધ અથવા ઈંડા અને ટોસ્ટ અથવા ઘરમાં જમાવેલું દહીં અથવા પૌવા ખાઓ.
રાતે ડિનરમાં દાળ ખિચડી અથવા ફિશ અથવા આખા મસૂરની સાથે ભાત અને ઘી ખાઓ.
સ્પેશિયલ ડ્રિંક- આદુ, લીંબુ, લેમન ગ્રાસ અને મધની ચા અથવા કેસર, આદુ અને બદામનો કાશ્મીરી કાહવા બનાવીને આખા દિવસમાં ગમે ત્યારે પીવો.
તમને જણાવી દઈએ કે, વર્ષોથી રૂજુતા દિવેકર કરીના કપૂર સહિત કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ જેવી દિગ્ગજ અભિનેત્રીઓની ડાયટિશિયન છે. કરીનાએ રૂજુતાની સલાહથી જ ઝીરો ફિગર મેળવ્યું હતું. આ સિવાય મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણીએ પણ રૂજુતાની સલાહથી પોતાનું વજન ઘટાડ્યું હતું.