કરીનાએ એવા લોકો પર નારાજગી જતાવી છે તે જે આ પરિસ્થિતિને ગંભીરતાથી નથી લઇ રહ્યાં અને જેમની બેદરકારીથી પરિસ્થિતિ વધુ વણસી રહી છે. કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વાતને લઇને ઓપન લેટર લખ્યો છે.
આ બધુ અકલ્પનીય છે
કરીનાએ લખ્યું કે, મારા માટે આ અકલ્પનીય વાત છે કે હજુ પણ કેટલાક લોકો એવા છે કે જે મહામારીની ગંભીરતાને નથી સમજી રહ્યા કે આપણો દેશ કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. હવે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે ખોટી રીતે માસ્ક પહેરો કે નિયમોને નજરઅંદાજ કરો તે પહેલા એકવાર ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ વિશે જરૂર વિચારી લેજો.
કરીનાએ વધુમાં લખ્યું કે, ડૉક્ટર્સ શારીરિક અને માનસિક રીતે તૂટવાની અણી પર આવી ગયા છે અને જે પણ આ વાંચી રહ્યુ છે તે બધા જવાબદાર છે. હવે ભારતને ખરેખર તમારી જરૂર છે. જેટલી ક્યારેય દેશને તમારી જરૂર નથી રહી. તમામ સેલેબ્સે કરીનાની તારીફ કરી છે.
સૈફ સાથેના લગ્ન પર ખુલાસો
ભારતીય સમાજમાં આજે પણ જો કોઇ વ્યક્તિના ડિવોર્સ થયા હોય તો લોકો તેને એક અલગ નજરથી જ જોવે છે. દુખી થઇને સાથે જીવવુ તેના કરતા છૂટા પડીને ખુશ રહેવુ જોઇએ આ વાત ભારતીય સમાજના લોકો ક્યારેય નહી સમજી શકે કારણકે બોલીવૂડની બેબો સાથે પણ આવી ઘટના ઘટી ચૂકી છે.
કૉફી વિથ કરનમાં ખુલાસો
જ્યારે કોફી વિથ કરનમાં કરને કરીનાને તેના લગ્નજીવન વિશે પૂછ્યુ ત્યારે તેણે કહ્યું કે, જ્યારે હું સૈફ સાથે લગ્ન કરવા તૈયાર થઇ હતી ત્યારે લોકોએ મને ના પાડી હતી. લોકો કહેતા હતા કે તેના પહેલા લગ્ન તૂટી ગયા છે તે તને ખુશ નહી રાખી શકે. તે 2 બાળકોનો બાપ છે તું તેની સાથે ખુશ નહી રહે. ત્યારે હું પણ વિચારમાં પડી હતી કે ખરેખર પ્રેમ કરવો આવડી મોટી ભૂલ છે.
કરિયર પતી જશે
ખાસ કરીને કરીનાને લોકો કહેતા હતા કે સૈફ અલી ખાન સાથે લગ્ન કરીને તેનુ કરિયર ખત્મ થઇ જશે. બેબોએ જ્યારે સૈફ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો ત્યારે તે તેના કરિયરની ટોચ પર હતી. લોકો તેને ડરાવવા લાગ્યા હતા કે જો તે સૈફ સાથે લગ્ન કરશે તો તેનુ કરિયર જ નહી રહે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે 2012 થી 2021 સુધી બેબો કેટલી સક્સેસફૂલ રહી છે.