રાજસ્થાનના કરૌલી જિલ્લામાં 2 એપ્રિલે થયેલી હિંસાને લઈને ભાજપની ન્યાય યાત્રા દૌસા-કરૌલી બોર્ડર પર અટકાવી દેવામાં આવી હતી. પોલીસે બેરિકેડીંગ કરીને ભાજપ કાર્યકર્તાઓને રોક્યા હતા.
રાજસ્થાનમાં ભાજપનું ઉગ્ર આંદોલન
કરૌલી હિંસાને લઈને પોલીસ અને કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ
200થી વધારે કાર્યકર્તાની કરવામાં આવી અટકાયત
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં 2 એપ્રિલે થયેલી હિંસાને લઈને ભાજપની ન્યાય યાત્રા દૌસા-કરૌલી બોર્ડર પર અટકાવી દેવામાં આવી હતી. પોલીસે બેરિકેડીંગ કરીને ભાજપ કાર્યકર્તાઓને રોક્યા હતા, જે બાદ પોલીસ સાથે સંઘર્ષ બાદ તેમના સાથીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસે ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયા, યુવા મોર્તા પ્રદેશ અધ્યક્ષ હિમાંશું શર્મા સહિત અસંખ્ય કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. તો વળી લગભગ 200 જેટલા કાર્યકર્તાઓને બસમાં ભરીને લઈ ગયા હતા. કરૌલીમાં લાગેલા કર્ફ્યૂની વચ્ચે ભાજપના યુવા મોર્ચાના કાર્યકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાના નેતૃત્વમાં આજે કરૌલી યાત્રા પર નિકળ્યા હતા, જ્યાં દૌસા કરૌલી બોર્ડર પર તેમને લગભગ 1 વાગ્યાની આસપાસ રોકવામાં આવ્યા હતા.
#WATCH Rajasthan | "Section 144 is not in place at where we are now...It's our constitutional right to go to Karauli. This dictatorial govt is snatching our rights, which is why we are protesting," said BJP MP Tejasvi Surya on being stopped by police to visit violence-hit Karauli pic.twitter.com/lYd3tErHlf
કહેવાય છે કે, પોલીસ ભાજપ નેતાઓને લઈને મહુઆ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ દરમિયાન યુવા મોર્ચાના કાર્યકર્તાઓની સાથે પોલીસ ઘર્ષણની પણ તસ્વીરો સામે આવી હતી. પોલીસે કાર્યકર્તાઓને હટાવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો. રાજ્યમાં ભાજપ સતત કરૌલી હિંસા મામલે ગેહલોત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
#WATCH | BJP delegation-led by party MP Tejasvi Surya breaks into sloganeering & protest against CM Ashok Gehlot after not being allowed to visit violence-hit Karauli district pic.twitter.com/dMfbWexhk1
આ દરમિયાન રોડ પર ધરણા દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ કરેલા સૂર્યા કહ્યું કે, યુવા મોર્ચાના કાર્યકર્તાઓ સામૂહિક રીતે ધરપકડ આપી રહ્યા છે અને આ લડાઈ હજૂ શરૂ જ થઈ છે. તેમણે કહ્યું કે, ગેહલોત સરકારમાં પીએફઆઈ જેવા સંગઠનોને માર્ચ કાઢવાની મંજૂરી આપવામાં આવે છે. પણ યુવા મોર્ચાના કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે અહીં રેલી કાઢી શકતા નથી. તેમણે કહ્યું કે, કરૌલીમાં રમખાણો થવા તે સરકારની નિષ્ફળતા છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા એકદમ નિષ્ફળ ગઈ છે.
Rajasthan | BJP delegation breaks into sloganeering & protest against CM Ashok Gehlot & his government after not being allowed to visit violence-hit Karauli District pic.twitter.com/PKJqPYkPzj
તો વળી આ અગાઉ જયપુર પહોંચેલા એમએમએસ હોસ્પિટલ બહાર તેજસ્વીએ કહ્યું કે, રાજસ્થાનમાં અશોક ગેહલોતનનું જંગલ રાજ ચાલી રહ્યું છે. લાલૂના જંગલ રાજ વિશે સાંભળ્યું હતું. પણ આજે મેં અશોક ગેહલોતનું જંગલરાજ પણ જોઈ લીધું. ગેહલોતના જંગલરાજનો યુવા મોર્ચા પ્રદેશ ભાજપ પુરજોશમાં વિરોધ કરશે અને રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશે.
અમારી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો- પૂનિયા
પૂનિયાની ધરપકડ થઈ તે પહેલા કહ્યું અમારી ન્યાય યાત્રા વિશે પોલીસ અને પ્રશાસનને ખબર હતી, તેમ છતાં પણ સરકાર બેવડુ વલણ રાખ્યું. પૂનિયાએ કહ્યું કે, સરકાર ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, તે પીએફઆઈને પ્રેમ કરે છે અને અમારા કાર્યકર્તાઓને ધુત્કારે છે. પૂનિયાએ કહ્યું કે, ન્યાયા રેલીને લઈને અમે નક્કી કર્યું હતું કે, અમે કરૌલી જઈશું અને રોકવા પર જેલમાં પણ જઈશું.