એકતા કપૂરનો શો 'કસૌટી ઝિંદગી કી 2' શરૂઆતથી ચર્ચામાં છે પરંતુ શોની જોઇએ તેવી TRP નથી આવી રહી. શોને પાવરફૂલ બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. મિસ્ટર બજાજના રોલ માટે કરણ સિંહ ગ્રોવરને પણ લાવવામાં આવ્યો, પરંતુ હવે સોશ્યલ મીડિયા પર ચર્ચા છે કે કરણે શો છોડી દીધો છે.
કસૌટી ઝિંદગી કી 2 માં કરણ સિંહ ગ્રોવર કરતો હતો મિસ્ટર બજાજનો રોલ
કરણ સિંહ ગ્રોવરે છોડ્યો શો: રિપોર્ટ
વાસ્તવમાં કરણ સિંહ ગ્રોવરે પોતાના સોશ્યલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેને જોઇને લાગી રહ્યુ છે કે તેણે શો છોડી દીધો છે. કરણ સિંહ ગ્રોવરે 'કસૌટી ઝિંદગી કી' ની સ્ટારકાસ્ટની સાથે એક ફોટો શૅર કર્યો છે, ફોટો શૅર કરીને કેપ્શન લખ્યુ કે, ''સારા સમય માટે આભાર, આ અમેઝિંગ ફેરવેલ હતી. તમારા બધા સાથે કામ કરવાનું ઘણું સારું લાગ્યુ. થેંક્યૂ એકતા કપૂર.''
કરણે પોસ્ટ કરેલા ફોટો પર કમેન્ટ આવી રહી છે કે, તેના પર અલગ-અલગ પ્રકરાની કમેન્ટ્સ આવી રહી છે. કેટલાક લોકો કરણને સવાલ પૂછી રહ્યા છે કે, તે ખરેખર શો છોડી દીધો? તો કેટલાક લોકોએ કહ્યુ કે, તારે કોઈ સારા પ્રોજેક્ટ તરફ ધ્યાન આપવાની જરૂર છે. એક યૂઝરે લખ્યુ કે, ''કરણ તમે હિના ખાન જેવા જ સ્માર્ટ નીકળ્યા. હિનાએ પણ આ ભંગાર શો છોડી દીધો અને હવે તમે પણ આ શો છોડીને સારું કામ કર્યુ. તમે બજાજના રોલ માટે સારું કામ કરતા હતા. મિસ કરીશું.''