આ દિવસો બોલીવુડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી પણ રીલ લાઇફમાં અને રિયલ લાઇફમાં પણ ફેન્સને ગમે છે. ભૂતકાળમાં આ બંનેના લગ્નની વાત સામે આવી હતી. પરંતુ કરણ જોહરે આ કપલ વિશે મોટો ખુલાસા કર્યો છે. તેઓ કહે છે કે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપના કારણે આ જોડી તૂટી શકે છે.
રણવીર-દીપિકાના સંબંધ પર કરણ જોહરે તેના રેડિયો શો પર વાત કરી હતી. તાજેતરમાં તેમના રેડિયો શોમાં 'રિવર્સ રેપિડ ફાયર' રાઉન્ડ શરૂ થયો છે. પછી એક કોલરે કરણને પૂછ્યું કે બૉલીવુડનું કયું કપલ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપના લિધે તુટી શકે છે?
આ પ્રશ્નનો જવાબ આપતા કરણે કહ્યું "મને લાગે છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને જોઈને એવું લાગે છે કે આ બંનેને હંમેશા એકબીજાની જરૂર રહેશે પરંતુ કામમાં વ્યસ્ત રહેવાના કારણે બંનેને સાથે સમય મેળવવો મુશ્કેલ છે.
તાજેતરમાં રણવીર-દીપિકા બૉલીવુડ સ્ટાર્સના હોલ ઓફ ફેમ એવોર્ડ્સ 2018માં દેખાયા હતા. દીપિકા પાદુકોણ અને રણવિર સિંહને આ ઇવેન્ટમાં 'એન્ટરટેઇનર ઑફ ધ યર' એવોર્ડ આપવામાં આવ્યો હતો.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન પછી સમાચાર મળ્યા કે આ વર્ષે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ લગ્નના બંધનમાં જોડાઈ જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દીપિકાના માતા-પિતાને મળવા માટે રણવીર બેંગલોર ગયો હતો.
વર્કફન્ટ વિશે વાત કરીએ તો રણવીર ગલિબોયમાં વ્યસ્ત છે અને દીપિકા ટૂંક સમયમાં ઇરફાન ખાન સાથે ફિલ્મ શૂટ કરશે.