પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક બેઠક બોલાવી છે કે જેમાં બોલીવુડનાં યંગ અભિનેતાઓ અને અભિનેત્રીઓને આવવા માટે કહ્યું છે. આ બેઠક ભારતીય સંસ્કૃતિ અને સમાજ પર પડી રહેલ સિનેમાનાં પ્રભાવ પર ચર્ચાને માટે બોલાવવામાં આવી છે.
આ બેઠક આજે દિલ્હીમાં છે કે જેમાં ફિલ્મ મેકર કરણ જોહરથી લઇને અભિનેતા રણવીર સિંહ સુધી શામેલ થવાનાં છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકોને લઇને પીએમ મોદી મુંબઇનાં રાજભવનમાં બેઠક કરી ચૂકેલ છે.
તમને જણાવી દઇએ કે રણવીર સિંહ અને કરણ જોહર સિવાય આ બેઠકમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ ફિલ્મ 'ટોયલેટ એક પ્રેમકથા'ની અભિનેત્રી ભૂમિ પેડનેકર વિકી કૌશલ વરૂણ ધવન સિદ્ધાર્થ મલ્હોત્રા રોહિત શેટ્ટી રાજકુમાર રાવ અને ફિલ્મ 'બધાઇ હો'નાં એક્ટર આયુષ્માન ખુરાના પણ શામેલ છે. પિંકવિલાનાં ખબર અનુસાર બેઠકને ફિલ્મ મેકર કરણ જોહર અને મહાવીર જૈને આયોજિત કરેલ છે.
હકીકતમાં આ બેઠકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સૌથી વધુ યંગ અભિનેતા અને અભિનેત્રીઓને જ બોલાવવામાં આવ્યાં છે. આ પહેલાં મુંબઇનાં રાજભવનમાં થયેલી બેઠકમાં કોઇ પણ મહિલા અદાકાર ના હોવાંને કારણે બેઠકને સોશિયલ મીડિયા પર યૂઝર્સનાં શિકાર થવું પડ્યું હતું. જેથી આ વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખતા કેટલીક અભિનેત્રીઓને પણ આ બેઠકમાં બોલાવવામાં આવેલ છે.
બેઠકનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ પર ફિલ્મોનાં પ્રભાવ પર પ્રકાશ નાખવાની સાથે સાથે સિનેમા અને સમાજને કેવી રીતે જોડવામાં આવે. આ સાથે જ દેશનાં નિર્માણમાં આ ન્યૂકમર અભિનેતા અને અભિનેત્રીઓનું શું યોગદાન અને સહભાગિત છે તેનાં પર ચર્ચા કરવામાં આવી રહી છે. ખબર છે કે આ બેઠકમાં ટેલીવિઝન ક્વિન એકતા કપૂર પણ શામેલ છે.
આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોલીવુડનાં મોટાં-મોટાં સ્ટાર્સ નિર્માતા અને નિર્દેશકો સાથે એક બેઠક કરી હતી. આ બેઠક મુંબઇનાં રાજભવનમાં થઇ હતી કે જ્યાં અજય દેવગણ અક્ષય કુમાર કરણ જોહર રાકેશ રોશન સિદ્ધાર્થ રોય કપૂર સીબીએફસી અધ્યક્ષ પ્રસૂન જોશી ટી-સીરીઝનાં ભૂષણ કુમાર જેવી હસ્તીઓ પણ હાજર હતી. પરંતુ આ મીટિંગને લઇને સોશિયલ મીડિયા પર યૂઝર્સે પીએમ મોદીને બેઠકમાં એક પણ મહિલા ના હોવાંને લઇને આડે હાથ લીધાં હતાં.