સુશાંત સિંહ રાજપૂતનું શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ ગયું છે. હવે આ સિતારો હંમેશા માટે આપણા બધાથી દૂર જતો રહ્યો પણ જતા જતા પોતાની પાછળ ઘણી બધી યાદો અને સવાલ મૂકીને ગયો. એવામાં સોશિયલ મીડિયામાં અત્યારે આલિયા ભટ્ટ અને કરણ જોહરના જૂના વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
કરણ જોહર અને આલિયા ભટ્ટનો વીડિયો વાયરલ
સુશાંત સિંહનો મજાક ઉડાવતો વીડિયો વાયરલ
સુશાંત ચાહકોએ કરણ જોહર અને આલિયા પર રોષ ઠાલવ્યો
કરણ જોહરથી ગુસ્સે થયા ફેન્સ
સુશાંત સિંહ તો બધાને છોડીને જતા રહ્યા પરંતુ તેમના ચાહકો હજુ પણ તેમને યાદ કરી તેમની ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને યાદ કરી રહ્યા છે. ફેન્સ તો દુઃખી છે જ સાથે સાથે બોલિવૂડ જગતને પણ ધ્રાસકો પડ્યો છે. સુશાંતની મોત બાદ ઘણા બધા સિતારાઓએ ખુલીને પોતાની વાત કરી. બધા જ અભિનેતાઓ કહી રહ્યા છે કે તે અંતિમ સમયમાં સુશાંતના ટચમાં ન રહ્યા. એવામાં કરણ જોહર પર જ ચાહકોનો ગુસ્સો ફૂટી પડ્યો છે.
કોફી વિથ કરણના વીડિયો વાયરલ
એવામાં કરણ જોહર અને આલિયા ભટ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. યુઝર્સ કરણ જોહર અને આલિયા પરલાલઘૂમ થઇ ગયા છે. કોફી વિથ કરણ નામક એક શોના વિવિધ વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં કરણ અને આલિયા સુશાંતનું મજાક ઉડાવી રહ્યા છે. એક બીજો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કરણ જોહર કહી રહ્યા છે કે તેમણે સુશાંતને કામ આપવાથી ના પાડી દીધી હતી.
સમગ્ર બોલિવૂડમાંથી અલગ અલગ નિવેદન આવી રહ્યાં છે. કંગનાએ બોલિવૂડના કેટલાક લોકો ઉપર આંગળી ઉઠાવી છે. કંગનાએ સુશાંતસિંહના મોત પાછળ બોલિવૂડને જવાબદાર કહ્યું કે, ગલીબોય જેવી વાહિયાત ફિલ્મને એવોર્ડ મળે છે ત્યારે છીછોરે જેવી ફિલ્મને એવોર્ડ ન મળતા સુશાંત ડિપ્રેશનમાં હતો. એક એક્ટર છેલ્લા ઘણા સમયથી પોતાના સોશિયલ મીડિયા પર લખી રહ્યો હતો કે, પ્લીઝ મારી ફિલ્મો જુઓ, મારા બોલિવૂડમાં કોઇ ગોડફાધર નથી મને આ ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી દેવામાં આવશે. સુશાંત કેટલો હતાશ હતો તે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી જાણી શકાય છે. કેટલાક પત્રકાર સુશાંતને કહી રહ્યા હતા કે તે નશાથી એડિક્ટ છે, તે ખરાબ માણસ છે તો સંજય દત્તના એડિક્શન તો તમને ક્યુટ લાગી રહ્યા છે.
શેખર કપૂરના ટ્વિટથી તર્ક વિતર્ક
શેખર કપૂરે પણ સુશાંતની મોત પર ખુલાસો કરતા ટ્વિટ કરી હતી કે, "મને ખબર છે તમે કોના દ્વારા હેરાન થઇ રહ્યા હતા, તે લોકો તમને એટલા હેરાન કરતા હતા કે તમે મારા ખભા પર માથુ મૂકીને રડતા હતા. તમારી વેદના શું હતી તે મને ખબર છે."
I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput
કમલ આર ખાને પણ ફેબ્રુઆરી મહિનામાં એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યુ હતુ કે અમુક પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપૂતને બોયકોટ કર્યો છે. માટે હવે સુશાંત ટેલિવિઝન તેમજ વૅબ સિરિઝમાં જ કામ કરી શકશે. ધર્મા પ્રોડક્શન, સાજીદ નડીયાદવાલા, વાય આર એફ, ટી સિરીઝ, સલમાન ખાન પ્રોડક્શન, બાલાજી વગેરે પ્રોડક્શન હાઉસે સુશાંત સિંહ રાજપૂતને બૅન કર્યો છે. આ ટ્વિટ KRK boxoffice ના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પરથી ફેબ્રુઆરીના મહિનામાં કરવામાં આવી હતી. આ મુદ્દા બાદ નેપોટીઝમનો ટૉપિક ફરીથી બહાર આવ્યો હતો. નેપોટીઝમને કારણે લાખો યુવાનો પોતાના સપના પૂરા કરતા ડરે છે.
#SushanthSinghRajput
Read everything about him , the act of nepotism , the shaming done to him by Bollywood it could be #KaranJohar , Alia,etc
I always wanted to be a filmmaker and actor who wants to bring change in hindi film industry.
Now , I don't even want to enter
💔 pic.twitter.com/FTIMQicMk7
કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટ્વીટ કરીને બોલિવૂડ જગત પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે છીછોરે હિટ થઇ ગયા બાદ સુશાંત સિંહે સાત ફિલ્મો સાઈન કરી હતી. પરંતુ છ જ મહિનામાં બધી જ ફિલ્મો હાથમાંથી નીકળી ગઈ, આખરે કેમ ? ફિલ્મ જગત નિષ્ઠુરતાના અલગ જ લેવલ પર કામ કરી રહ્યું છે અને આ જ નિષ્ઠુરતાએ કલાકારને મારી નાખ્યો. જે બાદ આજે પણ પપ્પૂ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે ગ્લેમરની દુનિયા ગંદગી, bully માનસિકતા અને વંશીય ભેદભાવને પ્રદર્શિત કરે છે. આવા લોકો પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ.