ભાવનગરના બુધેલમાં આગામી 23મી તારીખે કારડિયા રાજપૂત સમાજનું સંમેલન યોજાશે. આ સંમેલન દાનસંગ મોરીના સમર્થનમાં ફરી એક વખત યોજાવા જઈ રહ્યુ છે. મળતી માહિતી મુજબ દાસનંગ મોરી સામે ભાજપે કેસ પાછો ન ખેંચતા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેમાં કેસ પાછા ખેંચવાનુ કમિટમેન્ટ પૂર્ણ ન કરવાનો ભાજપ પર આક્ષેપ કર્યો છે.મહત્વનું છે કે,ભાવનગરના બુધેલ ગામના તત્કાલિન સરપંચ અને કરડિયા રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મોરી સામે ભાજપ દ્વારા અનેક પોલીસ ફરિયાદ કરવામાં હતી. જેને લઈને 2017માં રાજપૂત સમાજે રાજ્યવ્યાપી આંદોલન કર્યુ હતું અને રાજ્યભરના રાજપૂતો ભેગા થયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ આંદોલનના કારણે વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન જવાના ડરથી ભાજપના આગેવાનોએ મધ્યસ્થી બનીને સમાધાન કર્યુ હતું અને દાનસંગ મોરીની સામે કરવામાં આવેલી ફરિયાદો પાછી ખેંચવા માટેનો વાયદો કરવામાં આવ્યો હતો.
જો કે વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ પોતાનો વાયદો ભૂલી ગયો અને આજ સુધી દાનસંગ મોરી સામે કરવામાં આવેલી ફરિયાદો પાછી ખેંચવામાં નથી આવી અને ખોટી રીતે દાનસંગ મોરીને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો કરડિયા રાજપૂત સમાજે આક્ષેપ કર્યો છે.