પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે આઇસીસી વર્લ્ડકપમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાનની વિરુદ્ધ આ ટૂર્નામેન્ટમાં પોતાનો સતત જીતનો રેકોર્ડ યથાવત રાખવામાં સફળ રહેશે.
વર્લ્ડકપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે એક પણ વખત હારી નથી. બંને ટીમો વર્લ્ડકપમાં અત્યાર સુધી છ વખત ટકરાઇ છે અને દરેક વખત ભારતીય ટીમે પોતાની આ હરિફ ટીમને માત આપી છે. કપિલે એવું પણ કહ્યું કે એ ઇચ્છે છે કે પંડ્યા અને એની સરખામણી ના કરવામાં આવે.
કપિલે આશા વ્યક્ત કરી કે ભારત પોતાના વિજય અભિયાનને જારી રાખશે અને આ ટૂર્નામેન્ટમાં સાતમી વખત પાકિસ્તાનને માત આપશે. ભારતની 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટને કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે આ ટીમ પોતાની ક્ષમતા પર રમે. આપણે જરૂરથી જીતીશું કારણ કે આ ટીમ જોરદાર ક્રિકેટ રમી રહી છે.' કપિલે કહ્યું કે એમના જમાનામાં પાક ટીમ પ્રમાણમાં મજબૂત હતી પરંતુ હવે ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે.
ભારતનો સૌથી સારો ઑલરાઉન્ડર તરીકે જાણીતો આ ખેલાડીએ હાર્દિક પંડ્યાને ટીમ માટે સમર્પિત ખેલાડી કરાર આપતા કહ્યું કે એ ઇચ્છશે કે એની સરખમાણી કોઇની સાથે કરવામાં આવે નહીં, પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટને કહ્યું, 'હું ઇચ્છું છું કે તમે ક્યારેય પણ એની તુલના ના કરો, હું તો એવું જ ઇચ્છું છું કે એ મારા કરતાં પણ સારું રમે. એનામાં એટલી ક્ષમતા છે અને એ ગત મેચની જેમ રમતો રહેશે તો તમને એની સાથે મારી તુલના કરવાની જરૂર પડશે નહીં.' કપિલે આશા વ્યક્ત કરી કે પંડ્યા પોતાની બોલિંગમાં વધારે સુધારો કરશે.