બિહાર વિધાનસભા ચૂંટણી સહિત તમામ પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન પર ટિપ્પણને લઇને પાર્ટી નેતા અધીર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલ પર નિશાન તાક્યું છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે કાંઇ પણ કામ કર્યા વગર બોલવું આત્મનિરીક્ષણ હોય છે.
પત્રકારો સાથેની વાતચીતમાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે 'કપીલ સિબ્બલે આ અંગે પહેલા પણ વાત કરી હતી. તેઓ કોંગ્રેસ પાર્ટી અને આત્મનિરીક્ષણની આવશ્યકતા અંગે ઘણા ચિંતિત છે. પરંતુ અમે બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે પછી ગુજરાતની ચૂંટણીમાં તેમનો ચહેરો જોયો નથી.'
ઇંડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુંમાં કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે બિહાર વિધાનસભા ચૂંટણી અને મધ્ય પ્રદેશ પેટાચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લેતા પાર્ટીની અંદર આત્મનિરીક્ષણની આવશ્યકતા અંગે જણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના ઘણા નેતાઓએ કપિલ સિબ્બલને આડે હાથ લીધા અને અધીર રંજન ચૌધરીએ તેના પર નિશાન તાક્યું છે.
કપિલ સિબ્બલને આપી સલાહ
સમાચાર એજન્સી ANIના જણાવ્યું મુજબ લોકસાભમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધીએ કહ્યું, જો કપિલ સિબ્બલ બિહાર અને મધ્ય પ્રદેશ જતા તો સાબિત કરી શકતા હતા કે તેઓ જે કહી રહ્યાં છે તે સાચુ છે અને તેમના જવાથી કોંગ્રેસની સ્થિતિ મજબૂત થઇ શકી હોત. આવી વાત કરવાથી કાંઇ નહી મળે. કંઇ પણ કર્યા વગર બોલાવનો મતલબ આત્મનિરીક્ષણ નથી.
આ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે સિબ્બલ પર નિશાન સાધ્યું હતું. અશોક ગહલોતે કહ્યું હતું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પાર્ટીના 'આતંરિક મુદ્દા'ઓને મીડિયામાં લાવવાની જરૂર નથી અને કહ્યું કે આમ કરવાથી દેશના પાર્ટી કાર્યકરો પર તેની ખોટી અસર પહોંચે છે.