કોંગ્રેસમાં થોડા દિવસ આંતરિક વિખવાદ ખુલીને સામે આવી ગયો છે જેમાં કપિલ સિબ્બલે પાર્ટીની વિરુદ્ધ બોલવાનું શરુ કર્યું છે. કપિલ સિબ્બલને સલાહ આપવામાં આવી કે પાર્ટીની વાતો આમ જાહેર કરવાની જરૂર નથી છતાં તે રોકાવવા તૈયાર નથી.
ફરીથી કોંગ્રેસના આળસુ વલણ પર બોલ્યા કપિલ સિબ્બલ
કાર્યકર્તાઓને નથી ખબર કે ભવિષ્યમાં શું કરવાનું છે : સિબ્બલ
દોઢ વર્ષથી કોઈ નેતા વગર કોઈ પાર્ટી ચાલી શકે : સિબ્બલ
નોંધનીય છે કે થોડા મહિના પહેલા જ કોંગ્રેસનાં 23 નેતાઓએ સોનિયા ગાંધીથી કેટલાક મુદ્દાઓ પર ફરિયાદ કરી હતી અને તે બાદ હવે ફરીથી કોંગ્રેસનું ભૂત ધુણવા લાગ્યું છે. કપિલ સિબ્બલે હવે કહ્યું છે કે કોંગ્રેસ હવે પ્રભાવશાળી પક્ષ રહ્યો જ નથી. દોઢ વર્ષમાં પાર્ટી અધ્યક્ષ વગર જ છે. આવી રીતે તો કંઈ પાર્ટી ચાલે ?
એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને પાર્ટીના પ્રમુખ બનવામાં રસ નથી અને ત્યારથી જ કોંગ્રેસ અધ્યક્ષ વિહોણી છે. આ વાતને દોઢ વર્ષ થઇ ગયો અને દોઢ વર્ષથી કોઈ નેતા વગર કોઈ પાર્ટી ચાલી શકે ? કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ નથી ખબર કે આખરે ભવિષ્યમાં શું કરવાનું છે.
કપિલ સિબ્બલે ગુજરાત પેટાચૂંટણી વિશે પણ કોંગ્રેસ પર હુમલા કર્યા. તેમણે કહ્યું કે ગુજરાતમાં આઠે આઠ બેઠકો હારી ગયા. 65 ટકા વોટ ભાજપના ખાતામાં જતા રહ્યા. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસથી પક્ષપલટો કરનારાઓથી 28 બેઠકો ખાલી થઇ હતી અને તેમાંથી કોંગ્રેસ આઠ જ જીતી શકી.
કપિલ સિબ્બલે બળાપો કાઢતા કહ્યું કે જુલાઈમાં જ પાર્ટીની બેઠકમાં આ મુદ્દા ઉઠાવ્યા હતા અને પછી 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો પરંતુ કોઈ ચર્ચા પણ ન થઇ અને કોઈ આગળ પણ ન આવ્યું.