કપિલના કોમેડી શોમાં ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો છે પણ શું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કપિલ શોમાં મહેમાન બનશે? કોમેડિયને આ વાતનો ખુલાસો કર્યો હતો.
કપિલે પીએમ મોદીને આપ્યું હતું આમંત્રણ
કપિલ દ્વારા કરવામાં આવેલા ઘણા ખુલાસા
ફિલ્મ ઝ્વીગાટોથી ફિલ્મી પડદે પરત ફરી રહ્યો છે કપિલ
કપિલ શર્મા એક એવું નામ છે જેને આજકાલ લગભગ દરેક લોકો જાણે છે. કપિલ શર્મા શોથી લોકોણઆ દિલમઆ જગ્યા બનાવનાર કપિલ શર્મા હાલ તેની ફિલ્મને લઈને ઘણા ચર્ચામાં આવ્યા છે. કોમેડિયન કપિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ઝ્વીગાટોથી ફિલ્મી પડદે પરત ફરી રહ્યો છે. જો કે આ ફિલ્મની એક વાતચીત દરમિયાન કપિલ શર્માએ તેમના જીવન વિશે પણ ખૂલીને થોડી વાતો કરી હતી.
કપિલે પીએમ મોદીને આપ્યું હતું આમંત્રણ
કપિલના કોમેડી શોમાં ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો છે પણ શું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કપિલ શોમાં મહેમાન બનશે? કોમેડિયને આ વાતનો ખુલાસો કર્યો હતો. વાતચીત દરમિયાન કપિલે ખુલાસો કર્યો હતો કે પીએમ મોદીને તેના શો માટે આમંત્રણ આપ્યું હતું. જો કે એ સમયે પીએમ મોડીએ આ અંગે કેવી પ્રતિક્રિયા આપી હતી એ વિશે પણ ખુલાસો કર્યો હતો.
શું તમે ઈચ્છો છો કે મોદીજી તમારા શોમાં ક્યારેક આવે?
આ પ્રશ્નના જવાબમાં કપિલ શર્માએ કહ્યું હતું કે જ્યારે હું પીએમ મોદીને અંગત રીતે મળ્યો ત્યારે મેં તેમને કહ્યું હતું કે સાહેબ અમારા શોમાં પણ આવો. એ સમયે એમને મને ના કે હા કશું ન કહ્યું પણ એમને મને એક વાત કહી હતી કે અત્યારે મારા વિરોધીઓ ઘણી કોમેડી કરી રહ્યા છે તો પછી ક્યારેક આવશે.
કપિલ દ્વારા કરવામાં આવેલા ઘણા ખુલાસા
કપિલ શર્માએ સીધી વાતમાં પણ જણાવ્યું કે તેને ફિલ્મોમાં આવવાની લાલચ કેવી લાગી. કોમેડિયને આનો ફની જવાબ આપ્યો. કપિલે પોતાની સ્ટાઈલમાં કહ્યું- અમારા શોમાં છોકરીઓ પણ વાસ્તવિક નથી. છોકરાઓ છોકરીઓ બનીને ફરતા હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે મેં વાસ્તવિક છોકરી સાથે કામ કર્યું ત્યારે મને લાગ્યું કે હું ત્યાં થોડો વધુ સમય આપી રહ્યો છું, થોડો સમય આ તરફ પણ આપવો જોઈએ.
કપિલ બન્યો હતો ડિપ્રેશનનો શિકાર
કોમેડિયન કપિલ શર્માએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એમના જીવનમાં પણ એક તબક્કો એવો આવ્યો હતો જ્યારે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. એ તબક્કામાં સમજાતું નહતું કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આખો દિવસ કામ કરી લોકોને હસવીને જ્યારે ઘરે આવતા તો એમન થતું કે કોઈ છે નહીં જે વાતો કરીને જીવન વિશે સમજાવે.
એક સમયે આત્મહત્યા કરવાના વિચાર આવતા
વાતચીત દરમિયાન જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તમે ક્યારેય આત્મહત્યા કરવાનું વિચાર્યું છે? એ પ્રશ્નનો જવાબ આપતા કપિલ શર્માએ કહ્યું કે 'હું જેની વાત કરી રહ્યો છું, તે તબક્કામાં તે આવું જ હતું." હા મેં એવું વિચાર્યું. મને લાગતું હતું કે કોઈ મારું નથી. આવું કંઈ દેખાતું નથી, કોઈ સમજાવવાવાળું કે કાળજી લેવાનું કોઈ નથી. આસપાસ જે લોકો છે એ કેવા છે, કોણ એમના ફાયદા માટે સાથે જોડાયા છે એ પણ ખબર નથી પડતી.'
આગળ એમને જણાવ્યું હતું કે, 'એ બસ તબક્કો હતો અને મને એવું લાગે છે કે જીવનમાં એ તબક્કો આવો પણ જરૂરી હતો. એવા સમય પછી આંખો ખૂલી જાય છે કે અને જીવનમાં કેવા લોકો સાથે સંબંધો બનાવવા એ વિશે પણ ખબર પડવા લાગે છે. '