કપિલને દિકરો આવ્યો ત્યારે તેણે અનાઉન્સ કર્યુ હતુ કે તે શોમાંથી બ્રેક લઇ રહ્યો છે અને પોતાની પત્ની તેમજ બાળક સાથે સમય પસાર કરવા માગે છે, કારણકે દીકરી અનાયરાના જન્મ વખતે પણ તે શોના શૂટિંગમાં એટલો બિઝી હતો કે તે પોતાની દીકરી સાથે સમય વ્યતિત નહોતો કરી શકતો. કપિલ બીજી વખત તે જ ભૂલને રિપીટ કરવા માંગતો નહોતો પરંતુ હવે ફરી એકવાર ટીવી પર આવવા માટે કોમેડીયન તૈયાર છે.
કપિલ શર્માની ટીવી પર વાપસી થઇ રહી છે તેની જાણકારી કૃષ્ણા અભિષેકે સોશ્યલ મિડીયા થકી આપી છે. કૃષ્ણાએ ઇન્સ્ટા પર શૅર કરેલી એક પોસ્ટમાં ઇશારો કર્યો છે. તેની આ પોસ્ટમાં રણવીર, સારા અને રોહિત શેટ્ટી નજર આવી રહ્યાં છે બની શકે છે કે આ શો ટૂંક સમયમાં શરૂ થવાનો હોય તેના અણસાર હોય.
કૃષ્ણાએ લખ્યુ અમે પાછા આવીએ છીએ..
પોસ્ટની સાથે સાથે કૃષ્ણા અભિષેકે લખ્યુ છે કે, અમારો પહેલો એપિસોડ, તે સમયે હું ખુબ એક્સાટેડ હતો અને નર્વસ પણ. પહેલી વાર મે પૂછ્યુ હતુ કે એક કરોડ આપો ને. અમે જલ્દી પાછા આવી રહ્યા છીએ.
21 જૂલાઇથી આવશે કપિલ શર્મા
થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે ધ કપિલ શર્મા શો જૂલાઇથી ટીવી પર વાપસી કરશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે કોમેડી શો 21 જુલાઇથી ઓન એર થશે અને 15 મેથી શૂટિંગ શરૂ કરી દીધુ હતુ.