મુંબઇ: જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની દરેક જગ્યાએથી ટીકા થઇ રહી છે. રાજનેતાઓથી લઇને બોલીવુડ સેલેબ્સ સુધી દરેક લોકો આ આતંકી હુમલાને કાયરતાપૂર્ણ હરકત જણાવી રહ્યા છે. પરંતુ એની પર નવજોત સિંહ સિદ્ધૂના વિવાદીત નિવેદને વેગ પકડ્યો છે જેના કારણે એને ધ કપિલ શર્મા શો થી હટાવી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ ચેનલે એનું કન્ફર્મેશન પણ આપી દીધું છે. હવે શો ના હોસ્ટ કપિલ શર્માએ આ મામલે મૌન તોડ્યું છે.
કપિલે ચંડીગઢમાં થયેલી એક ઇવેન્ટમાં જણાવ્યું કે સિદ્ધૂના પહેલાથી જ કેટલાક કમિટમેન્ટસ હતા જેના કારણે એ શો માં નથી. એક મીડિયા સાથે વાતચીત કરતા કપિલે જણાવ્યું કે નવજોત સિદ્ધૂ પોતાના પૂર્વ કમિટમેન્ટ્સમાં વ્યસ્ત છે એટલા માટે અર્ચના પૂરન સિંહ અમારી સાથે શૂટિંગ કરી રહી છે. જ્યારે કપિલને સિદ્ધૂના વિવાદીત નિવેદન અને એને હટાવવા માટે પૂછવામાં આવ્યું તો કપિલે કહ્યું કે આ ખૂબ નાની ચીજો છે. આ પ્રચારનો એક ભાગ પણ હોઇ શકે છે. મને લાગે છે કે કોઇને બેન કરવા અથવા નવજોત સિદ્ધૂને શો થી હટાવવા કોઇ સમાધાન મથી. આપણે એના કાયમી સમાધાનની શોધ કરવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા આતંકી હુમલા માટે કપિલે કહ્યું કે અમે સરકારની સાથે છીએ પરંતુ આપણને એમાં સ્થાઇ સમાધાનની જરૂર છે. પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હરકત જેમાં આપણા જવાન શહીદ થયા. એને ભૂલી શકાશે નહીં અને દોષિતોને સજા મળવી જોઇએ.