મુંબઇ: કપિલ શર્માના ચાહકો માટે એક સારા સમાચાર છે કે હવે એ પોતાની સારવાર બાદ બેંગ્લોરની હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. પરંતુ એના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે કે એ હાલમાં 'ધ કપિલ શર્મા' શો માં વાપસી કરશે નહીં. રિપોર્ટસનું માનીએ તો ઓછામાં ઓછા એક વર્ષ સુધી શો લઇને પાછો આવશે નહીં. કપિલના એક ફ્રેન્ડે એક વેબસાઇટને જણાવ્યું કે કપિલને હાલમાં આરામની જરૂરીયાત છે. હાલમાં એના શો મા પાછો આવશે નહીં પરંતુ પોતાની ફિલ્મ 'ફિરંગી' નું પ્રમોશન કરશે.
સૂત્રોનું માનીએ તો કપિલનો બેંગ્લોરમાં આયુર્વેદિક ટ્રિટમેન્ટ 40 જિવસ સુધી ચાલવાની હતી પરંતુ એને 12માં જ દિવસે હોસ્પિટલમાંથી રજા લઇ લીધી. એ જલ્દીથી મુંબઇ આવશે કારણ કે પોતાની અપકમિંગ ફિલ્મ 'ફિરંગી' નું થોડું બાકી રહી ગયેલું શૂટિંગ પૂરું કરી શકે. અને ત્યારબાદ ફિલ્મનું માર્કેટીંગ અને પ્રમોશન શરૂ કરે. જાણકારી પ્રમાણે ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે.
કપિલ શર્માના ફ્રેન્ડે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે થોડાક સમય પહેલા માહિતી મળી હતી કે આવતા મહિને પોતાનો શો લઇને આવશે. પરંતુ આવું કશું જ નથી એ હાલમાં આરામ કરશે અને પોતાની અપકમિંગ ફિલ્મ પર જ ફોકસ કરશે. જો કે હાલમાં કપિલને સારું છે.