બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં હવે બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અઝહરુદ્દીન ધોની સચિન પછી સંજય દત્તની બાયોપિક 'સંજૂ' હાલમાં થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. 'સંજૂ' બાદ વધુ એક બાયોપિક બનવાની તૈયારીમાં છે. જી હા આ બાયોપિક હશે કૉમેડિયન એક્ટર કપિલ શર્માની. લાંબા સમય સ્ક્રીનથી દૂર રહ્યા ફછી કપિલ શર્મા છેલ્લે ફિલ્મ 'ફિરંગી'માં જોવા મળ્યો હતો. હવે કપિલના જીવન પર આધારિત બાયોપિક બનશે.
ઉલ્લેખનીય છે કે હિન્દી ફિલ્મ ‘તેરી ભાભી હૈ પાગલ’ના ડાયરેક્ટર વિનોદ તિવારી ટૂંક સમયમાં જ કપિલ શર્માની બાયોપિક લઈને આવનાર છે. એમની ઈચ્છા છે કે તેઓ કપિલ પર બાયોપિક બનાવે અને ખુદ કપિલ એમાં કપિલનો રોલ નિભાવે.
વિનોદ તિવારીએ આગળ કહ્યુ કે જો કપિલ પોતાની બાયોપિકમાં ખુદ પોતાનો રોલ નિભાવશે તો તેમની સાથે કામ કરવાની વધારે મજા આવશે પરંતુ જો કપિલ આ રોલ માટે ઇન્કાર કરશે તો કપિલના રોલ માટે કૃષ્ણા અભિષેક એકદમ ફિટ રહેશે. બને કોમેડીમાં માહેર છે માટે કપિલ શર્માને રોલને ન્યાય આપી શકશે. વિનોદને ફિલ્મ 'સંજૂ'માંથી કપિલ શર્માની બાયોપિક બનાવવાનો વિચાર આવ્યો હતો.
કપિલ શર્માની બાયોપિકના ખ્યાલ વિશે વિનોદ તિવારીએ કહ્યું કે “ફિલ્મ સંજૂ જોયા બાદ હું એક બાયોપિક બનાવવા માટે પ્રેરિત થયો અને મને અહેસાસ થયો કે તે બાયોપિક કપિલ શર્માની હોય શકે છે. મને લાગે છે કે એમની સ્ટોરી લોકોની સામે આવવી જોઈએ. આના માટે કપિલની બાયોપિક બનાવવા માટે તૈયાર હોય તેવા પ્રોડ્યુસર સાથે મેં વાત કરી છે . હું વર્ષ 2011માં જ કપિલની બાયોપિક બનાવવા માંગતો હતો પણ બનાવી નહોતો શક્યો.”