'ધ કપિલ શર્મા શો'માં બોલિવુડ સેલિબ્રેટીઝ સિવાય ખેલ અને રાજનીતિ જગતની હસ્તીઓ આવે છે. આવનારા એપિસોડમાં કવિ કુમાર વિશ્વાસ, પંકજ ત્રિપાઠી અને મનોજ વાજપેયી આવવાના છે, જેમની સાથે મળીને કપિલ શર્મા ઓડિયન્સને ખૂબ જ હસાવશે. તાજેતરમાં જ શોનો એક પ્રોમો રિલીઝ થયો છે જેમાં કપિલ કુમાર વિશ્વાસની મજાક ઉડાવતા સવાલ કરે છે.
ધ કપિલ શર્મા શો માં આવ્યા કુમાર વિશ્વાસ, પંકજ ત્રિપાઠી અને મનોજ વાજપેયી
કુમાર વિશ્વાસ અને કપિલ શર્માએ ઓડિયન્સને ખૂબ જ હસાવ્યા
કુમાર વિશ્વાસે કહ્યુ કે, એવું નથી, માત્ર હોલિવુડમાં જ થાય છે કે 'ઝાડૂ' લગાવીને વ્યકિત ઉડે છે.''
વાસ્તવમાં કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી છોડી દીધી છે, જેથી કપિલ પૂછે છે કે, आप जब पिछली बार आए थे तो आप 'आप' थे लेकिन अब 'आप' हम कैसे हो गए, मेरा कहने का मतलब है कि सर राजनीति रास नहीं आई आपको ।' કુમાર વિશ્વાસ હાજર જવાબી છે, તેઓએ કપિલના સવાલનો મજેદાર અંદાજમાં જવાબ આપે છે.
કુમાર વિશ્વાસે કહ્યુ કે,''એવું નથી, માત્ર હોલિવુડમાં જ થાય છે કે 'ઝાડૂ' લગાવીને વ્યકિત ઉડે છે.'' કુમાર વિશ્વાસનો જવાબ સાંભળીને લોકો ખડખડાટ હસવા લાગે છે. શોનો આ પ્રોમો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 'ધ કપિલ શર્મા શો' નું કન્ટેટન્ટ અને સ્ટોરી હંમેશા ઓડિયન્સને પસંદ આવે છે.
થોડા સમય પહેલા ચર્ચા હતી કે સુનીલ ગ્રોવર ફરીથી શોમાં પરત ફરશે. જોકે સુનીલ ગ્રોવરે ટ્વીટ કર્યુ હતુ, ''દરેક વસ્તુ તમારી પાસે આવીને રહેશે. કોઈ પણ વસ્તુ તમારાથી હંમેશાં દૂર નથી રહેતી. આથી હંમેશાં આભારી બનીને રહેવું. આજ એક રસ્તો છે. હંમેશાં હસતા રહો. બાકી... મેરે હસબન્ડ મુજકો...’''‘ મેરે હસબન્ડ મુજકો પ્યાર હીં નહીં કરતે’ એ ‘ધ કપિલ શર્મા શો’નો એક ડાયલૉગ છે. આથી એવું લાગી રહ્યું છે કે તે બહુ જલદી શોમાં જોવા મળશે.
Everything is going to come. Nothing is going to stay forever . So Just have gratitude. That is the key. And yes, laugh a lot. 🙏 baaki ... mere husband mujhko...
જોકે પછી સુનીલ ગ્રોવરે કહ્યુ કે, ''મને નથી સમજ આવતુ કે લોકો કેમ ધારણા બાંધી લે છે કેમકે મેં મારા ટ્વીટમાં કોઇ સંકેત આપ્યો ન હતો. પરંતુ તમે અફવાહ પર ખબર ના બનાવી શકો.''