કપિલ શર્માએ પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માનનાં વખાણ કરતા એક ટ્વીટ પોસ્ટ કરી હતી, જેને કારણે હવે ફરી એક વખત તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે.
કપિલ શર્મા થયા ટ્રોલ
ભગવંત માનનાં કર્યા હતા વખાણ
હવે સ્પષ્ટતા આપતા આપ્યો જવાબ
કપિલ શર્મા થયા ટ્રોલ
કોમેડિયન કપિલ શર્મા કોઈને કોઈ વિવાદમાં ફસાયેલ હોય જ છે. એક વાર ફરી તેમને એક ટ્વીટને કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, જે વિષે તેમણે ખુદ સ્પષ્ટતા આપી છે. પંજાબને હાલમાં જ ભગવંત માનનાં રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે અને કપિલ પણ પંજાબથી જ છે . નવા મુખ્યમંત્રીનાં વખાણ કરતા કપિલ શર્માએ એક ટ્વીટ કર્યું હતું, જ્યાર બાદ તેઓ ટ્રોલ થવા લાગ્યા.
કપિલ શર્મા ટ્વીટને લઈને થયા ટ્રોલ
કપિલ શર્માએ ટ્વીટર પર પંજાબનાં નવા મુખ્યમંત્રી ભગવંત માનનાં વખાણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે પાજી તમારા પર ગર્વ છે. ભગવંત માન પણ કોમેડિયન અને એક્ટર રહી ચુક્યા છે. આ ટ્વીટ પર એક વ્યક્તિએ પ્રતિક્રિયા આપતા તેમને ટ્રોલ કર્યા હતા. તે વ્યક્તિએ કહ્યું કે તેઓ રાજ્યસભા જવા માટે ભગવંત માનને માખણ લગાવી રહ્યા છે. આ પર કપિલ શર્માએ ટ્રોલ કરનાર વ્યક્તિના ટ્વીટને રીટ્વીટ કરતા જવાબ આપ્યો છે.
કપિલે આપ્યો જવાબ
આ ટ્વીટ પર કપિલ શર્માએ જવાબ આપ્યો છે કે જરાય નહી મિત્તલ સાહેબ, બસ એટલું સપનું છે કે દેશ આગળ વધે અને જો તમે કહો તો તમારી નોકરી માટે વાત કરું? કપિલ અને ભગવંત માન બંનેમાં ઘણી વસ્તુઓ કોમન છે. બંને પંજાબથી જ છે. પોલિટીકસમાં આવતા પહેલા ભગવંત માન પણ કોમેડિયન રહી ચુક્યા છે. બંને 'ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેંજ'ની અલગ અલગ સીઝનમાં જોવા મળ્યા હતા.
बिलकुल नहीं मित्तल साहब, बस इतना सा ख़्वाब है कि देश तरक़्क़ी करे 🙏 बाक़ी आप कहो तो आपकी नौकरी की लिए कहीं बात करूँ ? https://t.co/GLnW38eG2b
પહેલા પણ વિવાદમાં રહી ચુક્યા છે કપિલ શર્મા
ગત દિવસો કપિલ શર્માનું નામ 'ધ કશ્મીર ફાઈલ્સ' ફિલ્મ સાથે જોડાયેલ વિવાદોમાં પણ આવી ચુક્યું છે. વિવેક અગ્નિહોત્રીનાં એક ટ્વીટ બાદ લોકો કપિલ શર્મા શોને બોયકોટ કરી રહ્યા છે. પરંતુ પછી અનુપમ ખેરે આ વિવાદ પર સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું હતું કે કપિલનો શો એક કોમેડી શો છે અને ફિલ્મ એક ગંભીર વિષય પર બની છે. એટલા માટે અમે આ ફિલ્મના પ્રમોશન માટે 'ધ કપિલ શર્મા શો'માં જવું જરૂરી ન સમજ્યું.