ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે અચાનક પોતાના એક નિવેદનથી સનસની મચાવી દીધી છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ટીમ ઈન્ડિયાના એક ખેલાડી પર અચાનક ભડકી ઉઠ્યા છે.
કપિલ દેવે અચાનક પોતાના એક નિવેદનથી સનસની મચાવી દીધી
ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર રિષભને લઇને આપ્યું નિવેદન
રિષભ પંત જલ્દીથી સાજો થઇ જાય, હું તેને એક લાફો અવશ્ય મારીશ
ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ટીમ ઈન્ડિયાના એક ખેલાડી પર ભડક્યા
કપિલ દેવે ત્યાં સુધી કહી દીધુ કે હું જઇને તેને એક લાફો જોરથી મારીશ. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવના અચાનક આ પ્રકારના નિવેદનથી દરેક વ્યક્તિ હેરાન છે. મહત્વનું કે 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર રિષભ પંતને લઇને આ મોટુ નિવેદન આપ્યું છે.
ભારતીય ટીમના આ ખેલાડી પર અચાનક ભડક્યા કપિલ દેવ
કપિલ દેવે અચાનક પોતાની એક વાતથી હોબાળો મચાવ્યો છે. ભારતીય ટીમના વિકેટકીપર બેટર રિષભ પંત પર પ્રતિક્રિયા આપતા કપિલ દેવે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, હું ઈચ્છુ છુ કે રિષભ પંત જલ્દીથી સાજો થઇ જાય અને જ્યારે તે સાજો થઇ જશે તો હું તેને એક લાફો અવશ્ય મારીશ. કારણકે પોતાની સારસંભાળ કરો. જુઓ તમારી ઈજાથી આખી ટીમનુ આખુ કોમ્બિનેશન બગડી ગયુ છે. પછી આક્રોશ પણ છે કે આવી ભૂલ આજના યુવાનો કેમ કરે છે? તેથી તેના માટે લાફો પણ મારવો જોઈએ.
ભારતીય ટીમ માટે મોટુ નુકસાન
કપિલ દેવે કહ્યું, રિષભ પંતને આશીર્વાદ અને પ્રેમ-મહોબ્બત. ભગવાન તેમને સારી રીતે સાજા કરે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી નાગપુરમાં ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાશે. રિષભ પંતનુ ના હોવુ ભારતીય ટીમ માટે મોટુ નુકસાન છે, કારણકે રિષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં આક્રમક વિકેટકીપર હોવાની સાથે ખતરનાક બેટર પણ છે. રિષભ પંત ટેસ્ટ ફોર્મેટમાં ઝડપથી રન બનાવે છે અને ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની મહત્વની ટેસ્ટ સીરીઝમાં તેમની કમી વર્તાશે.