પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવે કહ્યું કે, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ એક-બીજાની ટીકા જાહેરમાં ન કરવી જોઈએ
કપીલ દેવે સૌરવ ગાંગુલી અને વિરાટ કહોલને એક શિખામણ આપી
પ્રવાસ પહેલા કોઈ વિવાદ ન થવો જોઈએ તે મહત્વપૂર્ણ છે
ગાંગુલીના નિવેદન બાદ વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં પલટવાર કર્યો હતો
કપીલ દેવે સૌરવ ગાંગુલી અને વિરાટ કહોલને એક શિખામણ આપી
પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલને એક શિખામણ આપી છે. તેમણે કહ્યું કે, બંને લોકોએ જાહેરમાં આવીને એક બીજાની ટીકા ટિપ્પણીઓ કરવી નહી. મીડિયામાં આવીને આ રીતે એક બીજા પર આક્ષેપો કરવા યોગ્ય નથી. આગામી દિવસોમાં દક્ષિણ આફ્રિકામાં રમાનારી ટેસ્ટ સિરીઝ પર ધ્યાન કેન્દ્રિત કરો. બોર્ડ પ્રેસિડન્ટ તેમની જગ્યાએ બરોબર છે, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ તેની જગ્યાએ બરોબર છે. પરંતુ જાહેરમાં એકબીજાનું આક્ષેપો કરવા એ યોગ્ય નથી. સૌરભ હોય કે વિરાટ, તમે આ પરિસ્થિતિને નિયંત્રિત કરો. તમે દેશ વિશે વિચારો તે વધુ સારું છે.
પ્રવાસ પહેલા કોઈ વિવાદ ન થવો જોઈએ તે મહત્વપૂર્ણ છે
કપિલ દેવે એમ પણ કહ્યું કે શું ખોટું છે તે આવતીકાલે ખબર પડશે, પરંતુ જો તમે સામે આવીને આવું બોલશો તો મને લાગે છે કે તે યોગ્ય નથી. પ્રવાસ પહેલા કોઈ વિવાદ ન થવો જોઈએ. મહત્વપૂર્ણ છે કે ટીમ ઈન્ડિયામાં છેલ્લા કેટલાક સમયથી વિરાટ અને રોહિત વચ્ચે મતભેદના સમાચારો સતત આવી રહ્યા છે. દરમિયાન, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે, આ ચર્ચાએ વધુ જોર પક્ડ્યું હતું જ્યારે રોહિત શર્માને વિરાટ કોહલીની જગ્યાએ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો.
ગાંગુલીના નિવેદન બાદ વિરાટનો પલટવાર કર્યો હતો
દરમિયાન, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે વિરાટ કોહલીને ટી20 કેપ્ટનશીપ ન છોડવાની સલાહ આપી હતી કારણ કે બીસીસીઆઈ ઈચ્છે છે કે ટી20 અને વનડેમાં એક જ કેપ્ટન હોય. વિરાટ કોહલીએ ગાંગુલીના નિવેદનના જવાબમાં કહ્યું કે BCCIના કોઈ સભ્યએ તેમને કેપ્ટનશીપ ન છોડવા માટે કહ્યું નથી અને ન તો તેમને ODI ટીમની કેપ્ટનશીપથી હટાવવા અંગે કોઈ માહિતી આપી નથી.