ધોની ઈન્ડીયન પ્રીમિયર લીગમાં કમબેક કરવા માટે 2 માર્ચથી ટ્રેનિંગ શરુ કરશે. પાછલા વર્ષે વનડે વિશ્વ કપ રમ્યા બાદ તેમના કરિયરને લઈને અટકળો ચાલી રહી છે. આ વચ્ચે કપિલ દેવનું એક નિવેદન સામે આવ્યું છે.
કપિલ દેવ આઈપીએલમાં રમનારા યુવા ખલાડી લઈને ઉત્સુક છે
ધોનીએ પહેલા જ દેશ માટે આટલું બધું કરી દીધું છે
બુમરાહના ખરાબ પ્રદશન પર ચિંતિત નથી કપિલ દેવ
કપિલ દેવ ધોનીના કમબેકને લઈને ઉત્સાહિત નથી
ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવ આઈપીએલમાં મહેન્દ્રસિંહના કમબેકને લઈને ઉત્સાહિત નથી. અને તેમનું કહેવું છે કે આ લીગ ભારતના ભવિષ્યના સિતારાઓ માટે છે. આ માટે ટી-20 વિશ્વકપ ટીમમાં પસંદ થવા માટે યુવા ખેલાડીઓ થોડી મેચો રમવી જોઈએ
ધોની ઈન્ડીયન પ્રીમિયર લીગમાં કમબેક કરવા માટે 2 માર્ચથી ટ્રેનિંગ શરુ કરશે. પાછલા વર્ષે વનડે વિશ્વ કપ રમ્યા બાદ તેમના કરિયરને લઈને અટકળો ચાલી રહી છે. ચેન્નઈ સુપરકિંગના કેપ્ટન ધોની જાન્યુઆરીમાં બીસીસીઆઈના ખેલાડીઓની યાદીમાંથી બહાર કરી દીધો છે.
ધોની નહિ યુવા ખેલાડીઓ પર નજર
કપિલે નોઈડામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે 'આઈપીએલમાં માત્ર ધોની જ નથી રમી રહ્યાં. હું એવો વ્યક્તિ છું જે યુવા ખેલાડીઓના પ્રદશનને જોતો હોવ છું. જે આગલા દસ વર્ષ સુધી રમી શકે. મને લાગે છે કે ધોનીએ પહેલા જ દેશ માટે આટલું બધું કરી દીધું છે. તેમણે વધુમાં કહ્યું કે તેમના પ્રસંશકના રૂપમાં હું તેમને રમતો જોવા માંગુ છું. તે એક વર્ષથી ક્રિકેટ રમ્યો નથી. તેમણે ટીમમાં આવવા માટે વધારે મેચ રમવી પડશે અને સારામાં સારું પ્રદશન કરવું પડશે કારણ કે અલગ ખેલાડી માટે અલગ માપદંડ હોય છે.
કપિલ દેવે કહ્યું કે તે તેમના કરિયરના અંતિમ ચરણ પર છે. હું તેમનો પ્રસંશક છું એટલાં માટે તેમને રમતો જોવા માંગુ છું પરંતુ આઈપીએલમાં આવનારી પેઢીના ખેલાડીને જ હું જોવા માટે ઉત્સુક છું.
બુમરાહના ખરાબ પ્રદશન પર ચિંતિત નથી કપિલ દેવ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહના ફોર્મને લઈને હેરાન નથી. તેમણે કહ્યું કે જ્યારે તમે ઈજાગ્રસ્ત હોવ અને આરામ બાદ ફરી કમબેક કરો છો તો પકડ લાવવામાં થોડો સમય લાગે છે. જે વ્યક્તિએ એક મોટા મંચ પર પોતાને સાબિત કર્યો છે. તો તેમને સુધારો લાવવામાં સમય નહિ લાગે. તેમણે કહ્યું કે બેટ્સમેન માટે અમે કહીએ છીએ કે ફોર્મ લાવવા માટે એક ઇનિંગ્સ જોઈએ પણ બોલરને સમય લાગે છે.