ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલ રાઉન્ડર કપિલ દેવની તબિયત છેલ્લા કેટલાક દિવસથી ખરાખ થઇ રહી છે. હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. મંગળવારે અચાનક પ્રથમ વર્લ્ડ કપ જીતનાર આ ખેલાડીના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. જો કે, આ સમાચાર ખોટા છે અને કપિલ દેવ ઝડપથી સાજા થઇ રહ્યા છે.
ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવના નિધનના સમાચાર થયાં વાયરલ
સોશિયલ મીડિયા પર ફેન્સે આપી શ્રદ્ધાંજલિ
વાયરલ થયેલા મસેજ ખોટા
આજકાલ સોશિયલ મીડિયા પર તેમના નિધનના આ સમાચાર પવનવેગે ફેલાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, સેલેબ્સના મોતની અફવાઓ સતત વાયરલ થતી રહે છે. ત્યારે આ વખતે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવનું નામ પણ જોડવામાં આવ્યું હતું. 1983 ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન કપિલ દેવના મોતનાં સમાચાર ટ્વિટર પર અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
Layman Diary office: Bhut dukhad samachar Kapil Dev nahi raha. Shradhanjali 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/Akk3b1PqrO
છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ દિલ્હીની હોસ્પિટલમાં કરાયા દાખલ
નોંધપાત્ર વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ તેમને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેણે હાર્ટ સર્જરી કરાવી હતી અને હવે તે વધુ સારું લાગે છે. તેની તબિયત પણ ઝડપથી સુધરી રહી છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ચાહકો આપવા લાગ્યા શ્રદ્ધાંજલિ
Speculation on a colleagues health and well being is insensitive and irresponsible. Our friend, Kapil Dev is on the path to recovery and getting better each day. At a time where the family has been through stress owing to his hospitalization, please let us be sensitive.
આ પ્રકારની ઘટનાઓ અચાનક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ છે કે, કપિલદેવને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં સુધી કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું નિધન થયું છે. તો આ સમાચારને પગલે સોશિયલ મીડિયામાં લોકો કપિલ દેવને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા હતા.