ભારતીય ક્રિકેટ ટીમના હાલના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વેસ્ટઇન્ડિઝ સીરિઝ સુધી વધારવામાં આવી છે. ત્યારબાદ કપિલ દેવની આગેવાની વાળી સલાહકાર સમિતિ આગામી કોચ સિલેક્ટ કરશે. ઇન્ટરવ્યૂ ઓગસ્ટના મધ્યમાં થશે.
વર્લ્ડકપ 1983 વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ, પુરુષ ટીમના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડ અને મહિલા ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી આ ત્રણ દિગ્ગજ ટીમ ઇન્ડિયાનો આગામી મુખ્ય કોચને સિલેક્ટ કરશે. ત્રણ સભ્ય સમિતિને પહેલા કામચલાઉ આધાર પર પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે એને આગામી મુખ્ય કોચ નિયુક્ત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના માટે ઇન્ટરવ્યૂ ઓગસ્ટના મધ્યમાં થવાની શક્યતા છે. પ્રશાસકોની સમિતીએ અહીંયા શુક્રવારે બેઠક દરમિયાન આ નિર્ણય લીધો.
ટીમ ઇન્ડિયાના કોચ માટે સક્ષાત્કાર 13 અથવા 14 ઓગસ્ટે થવાની સંભાવના છે. અરજી જમા કરવાની છેલ્લી તારીખ 30 જુલાઇ છે, જ્યારે હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને સાક્ષાત્કાર પ્રક્રિયામાં સીધો પ્રવેશ મળશે.
ગત વખતે ટીમ ઇન્ડિયાના ચીફ કોચ પસંદ કરતી વખતે કેપ્ટન વિરાટ કોહલીની પસંદનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, પરંતુ આ વખત એવું થશે નહીં. એવું જાણવા મળી રહ્યું છે કે વર્લ્ડકપની કોઇ સમીક્ષા બેઠક થશે નહીં, કારણ કે સમય ઓછો છે. ટીમ થોડાક દિવસોમાં વેસ્ટઇન્ડિઝ સીરિઝ માટે રવાના થવાની છે.
વર્લ્ડકપ સમાપ્ત થયા બાદ હાલનો કોચિંગ સ્ટાફનો કાર્યકાળ સમાપ્ત થઇ ગયો હતો, પરંતુ એમના કાર્યકાળને 45 દિવસનો વિસ્તાર આપવામાં આવ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો શાસ્ત્રીની સાથે મુખ્ય કોચની રેસમાં ગૈરી કસ્ટર્ન, મહેલા જયવર્ધને, ટૉમ મૂડી અને વીરેન્દ્ર સહેવાગ પણ સામેલ છે. તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન પણ ભારચતીય ટીમનો મુખ્ય કોચ બનવા ઇચ્છે છે.