આજે 24 ઓક્ટોબરે મહા અષ્ટમીનો તહેવાર ઉજવાય છે અને સાથે જ આજે કન્યા પૂજન પણ કરાશે. નવરાત્રિના 9 દિવસ મહાનવમીના દિવસે તહેવાર સમાપ્ત થાય છે અને તેનું સમાપન પણ હવન બાદ ભોગ ચઢાવીને કરાય છે. આ દિવસે 9 કન્યાઓની પૂજા કરાય છે અને તેમને ભોજન કરાવાય છે. માતાને પ્રસન્ન કરવા અને આર્શિવાદ લેવા માટે કન્યા પૂજન ખાસ ગણાય છે. કન્યા પૂજા બાદ કન્યાઓને આ પ્રકારની સામગ્રી આપવાથી દેવી પ્રસન્ન થાય છે.
આજે મહા અષ્ટમી અને કન્યા પૂજન
કન્યાઓની પૂજા કરીને કરાવો ભોજન
કન્યાઓને આ સામગ્રીઓ ભેટમાં આપવાથી દેવી થશે પ્રસન્ન
શાસ્ત્રો અનુસાર ઉપવાસ પૂરા કરતા પહેલા 9 છોકરીઓની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તે પછી જ ઉપવાસ ખોલવામાં આવે છે. નવ છોકરીઓને માતાની નવ દેવીઓ ગણીને યુવતીની પૂજા કરવામાં આવે છે. કન્યા પૂજનમાં શક્ય હોય ત્યાં સુધી નાની કન્યાઓ લેવામાં આવે છે અને તેમને જમાડ્યા બાદ તેમને ખાસ ભેટ આપવામાં આવે છે. તો જાણો કઈ વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ.
રમકડાં
નાના બાળકોને સૌથી વધારે કોઈ ચીજ પસંદ હોય તો તે રમકડા છે. બાળકો તેનાથી ખુશ થાય છે. તમે તેમને ડૉલ, ટેડી વગેરે આપી શકો છો.
વાંચન સામગ્રી
કન્યા પૂજન સમયે બાળકો શાળામાં હોય છે તો તમે સ્ટેશનરી સાથેની કોઈ ચીજ આપી શકો છો જેમકે પેન્સિલ, શાર્પનર, ઈરેઝર, બુક્સ વગેરે,. તે તેમને માટે લાભદાયી રહેશે.
સિક્કા
ભોજન બાદ દક્ષિણા આપવાથી માતાના આર્શિવાદ મળે છે. દક્ષિણા સ્વરૂપમાં રૂપિયા આપવાનું ચલણ વર્ષોથી છે. આ માટે દાનમાં સિક્કા આપવા. ચાંદીનો સિક્કો પણ આપી શકાય છે.
લાલ વસ્ત્ર
તેને દેવીનો રંગ માનવામાં આવે છે. લાલ રંગની ચુનરી પૂજા બાદ આપવી જોઈએ. માને પ્રસન્ન કરવા માટે કન્યા પૂજન હોય છે. એવામાં માતાને પ્રિય લાલ રંગના કપડાં અને ચુનરીને ભેટમાં આપવી. તેનાથી માતા પ્રસન્ન થશે.
સજાવટનો સામાન
અનેક નાના બાળકોને તૈયાર થવાનો શોખ હોય છે. આ સમયે ચાંલ્લા, બંગડીઓ, નેલપોલિશ, હેરબેન્ડ, બ્રેસલેટ, રબર સેટ વગેરે આપી શકાય છે.