મોરબીના આધેડનો જીવતા સમાધી લેવાની ઈચ્છા દર્શાવતો વીડિયો વાયરલ થયો હતો. કાંતિભાઈ મુછાડિયા નામના આધેડે સમાધિ લેવાનો વીડિયો વાયરલ કર્યો છે. જેને લઇને સ્થાનિક તંત્ર પણ સક્રિય થયું છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્રએ નિવેદન આપ્યું છે.
કાંતિભાઈએ જીવતા સમાધિની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે દાદા નવઘણાનંદના આદેશથી જીવતા સમાધી લઈશ. દાદાએ મને સપનામાં આવેની સમાધિ લેવાનો આદેશ કર્યો છે. દાદાએ મને જીવાડ્યો હતો અને હવે દાદાએ હુકમ કરતા એટલે હું જીવતા સમાધી લઈશ.
28 તારીખે સમાધિ લેવાની વાતઃ SP
જીવતા સમાધિ મુદ્દે મોરબી SP કરણરાજ વાઘેલાએ કહ્યું છે કે, અમે તેમને સમાધિ ન લેવા માટે સમજાવી રહ્યા છીએ. અમે સરપંચને સાથે રાખી સમજાવીશું. 28 તારીખે સમાધિ લેવાની વાત કરી છે. આત્મવિલોપન કરવું એ ગેરકાયદેસર છે. 28 તારીખ સુધી કોઈ પગલુ નહીં ભરે તેવુ નિવેદન આપ્યુ છે. પોલીસની નજર કાંતિ મુછડિયા પર રહેશે.
મોરબી જિલ્લા અધિક કલેક્ટરનું નિવેદન
કલેક્ટરે કહ્યું કે, તંત્ર દ્વારા એક ટીમ બનાવવામાં આવશે. પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા ટીમ બનાવાશે. ટીમ બનાવી કાંતિભાઈને સમજાવવામાં આવશે. નિરાકરણ નહીં આવે તો કાયદાકીય પગલાં લેવાશે. 2થી 3 દિવસમાં ટીમ બનાવી સમજાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જામનગરના જામવંથલીમા 77 વર્ષના હરિલાલ વેલજીભાઇ ખોલીયાએ દેહત્યાગ કરવાની ભવિષ્યવાણી કરી હતી. તેમની ભવિષ્યવાણીને લઈને પરધામ ફૂલવાડી મંદિરમાં પાંચ દિવસ સુધી સમારોહ યોજાયો હતો. તે સમયે હરિલાલ બેભાન થયા હતા. હરિલાલા બેભાન થતા લોકોએ દેહત્યાગ કર્યો હોય તેવુ વિચાર્યુ હતું. જોકે બે કલાક બેભાન રહ્યા બાદ હરીબાપા ભાનમાં આવ્યા હતા. આમ બાપાનો દેહત્યાગનો દાવો પોકળ સાબિત થયો છે.